________________
આચાર્ય શ્રી જંબુસ્વામી
સોળ વરસનો કેલૈયો કુંવર છે. તેમની હિંડોળાખાટે બેઠો છે. હાથમાં હીરની દોરી છે. કચૂડ કિચૂડ હીંચકા ખાય છે. એનું નામ જંબુ.
ક્રોડાધિપતિ ઋષભદેવનો તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી.
એકનો એક પુત્ર છે. મોટી ઉંમરે થયેલો છે, એટલે લાડકોડમાં મણા રાખી નથી.
એક નહીં, પણ આઠ આઠ કન્યાઓ સાથે થોડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે.
એવામાં ત્યાં વનપાળે આવી વધામણી ખાધી, શેઠજી ! ભગવાન મહાવીરના પટધર સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.
સમતાના સરોવર ને જ્ઞાનના સાગર ગુરુરાજની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org