________________
બીજી રાત્રે પણ આવું જ બન્યું. હું તો ખૂબજ ગભરાઈ ગઈ. આમ રોજ રાત્રે થાય. કોઈ સાચું ન માને. મારે હવે શું કરવું ? આ ભયંકર દુઃખથી બચવા મેં સંકલ્પ કર્યો કે શ્રી મુનિસુવ્રતસ્વામીનો પાંચ હજારનો જાપ કરવો. ઘરનાં ગમે તેટલું દબાણ કરે તો પણ અન્ય દેવી-દેવતા ન માનવા એ નિયમ બરાબર પાળવો. આમ દ્રઢ મન કરી મંત્રેલું પાણી ફેંકી દીધું. બસ ત્યારથી આ બધી ઉપાધિ બંધ થઇ ગઈ. આ અનુભવથી મેં પાકો નિશ્ચય કર્યો કે કયારેય અન્ય દેવ માનવા નહીં.”
આ સુશ્રાવિકા ખૂબ ધર્મશ્રધ્ધાળુ છે તેથી તેમનો નિર્ધાર એવો છે કે લીધેલા બાર વ્રત ખૂબ દ્રઢપણે પાળવા. તેમાં દોષ, અતિચાર ન લગાડવા. તેથી ઇતર દેવને કદી ન માનવા એ પાકો નિશ્ચય એમણે કર્યો.
તમારે બધાએ પણ એ વિચારવું જોઈએ કે સર્વ જીવોના દિવ્ય સુખ અને શાંતિ માટે સદા તત્પર એવા તીર્થંકર ભગવાનમાં ઘણાને આજે દ્રઢ શ્રધ્ધા નથી અને ગુણરતિ, આચારહીન ફકીર વગેરેમાં વિશ્વાસ છે !! આ શું બુધ્ધિશાળીનું લક્ષણ છે ? હે સુજ્ઞ જૈનો ! દ્રઢ સંકલ્પ કરો કે ગમે તેવા દુઃખમાં કે સુખમાં સાચી શાંતિ તો અરિહંતના જાપ, ધ્યાન અને ધર્મ આરાધનાથી જ મળે. સર્વશ્રેષ્ઠ જૈન ધર્મનો પ્રભાવ ખરેખર અનંતો છે. કદાચ ભયંકર પાપોદયમાં બીજા મેલા દેવ વગેરેના કોઈ પ્રયોગો કરવા જ પડે તો પણ તારકદેવ તરીકે તો તીર્થંકરને જ દ્રઢપણે માનવા જોઈએ.
ક
5 卐卐
Jain Education International
૧૦
சு
For Personal & Private Use Only
www.jainelibrary.org