SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ AM ( 90 હતું , જે 20) Bણ છે ૧૪. પાપભય થી લગ્નનો ત્યાગ ગુજરાતની એ લગભગ ૨૦ વર્ષની નવયૌવનાની આ તદ્દન સત્ય વાત છે. એને આપણે મૃદુલા કહીશું. ઘર ધર્મી, સાધુ સાધ્વી ની પણ ખુબ ભક્તિ કરે. યુવતી સમય મળે ત્યારે સાધ્વીજી પાસે ભણે. ધર્મની વાતો સાંભળે. એની ધર્મશ્રધ્ધા દઢ થઇ ગઇ. કન્યા ઘણી રૂપાળી. પોતા કરતાં અનેક ગણા સુખી યુવાન સાથે લગ્ન માટે વાત ચાલી. યુવક રૂપાળો, ભણેલો હતો. બન્ને પક્ષ લગ્ન માટે સંમત થઇ ગયા. કાકાએ છોકરીને છેલ્લે પુછ્યું, ‘‘લગ્ન નક્કી કરીએ છીએ. તારે કઇં કહેવું છે?” હૃદય ભરાઇ જવાથી યુવતી રડવા લાગી. પંદરેક મિનીટ તે રબ્ધ રોકી ના શકી. તેને ભાવિ પાપના વિચારે કમકમાટી થતી હતી. છેવટે કાકાએ કહ્યું, “બેટી ! રડ નહીં. તારા દિલમાં જે કંઇ હોય એ કહી દે. આપણે તેનો રસ્તો કાઢશું. પરંતુ આવો મુરતિયો આજે આપણને મળવો ખુબ મુશ્કેલ ગણાય.” ધર્મરાગી એ કન્યા ગદ્ગદ્સ્વરે કાકાને કહે છે, “એ યુવાનના ઘરનાં કંદમૂળ ખાય છે. શું મારે અનંત જીવોને મારવાનું પાપ કરવાનું? અને તે પણ રોજ? ભલે ઘણું બધું સુખ મળવાનું છે પણ આ પાપ તો હુ નહીં કરી શકું !!” કાકા સમજુ હતા. તેમણે કહ્યુ, “ દિકરી ! આપણે એમને કંદમુળ બંધ કરાવી ન શકીએ. પરંતુ તારી ઇચ્છા વિરૂધ્ધ અમે કોઇ નિર્ણય નહીં કરીએ.” કન્યાવાળા બહાનું કાઢી મુરતિયા પાસેથી પાછા આવ્યા. - માતાએ આ જાણી સુપુત્રીને ખૂબ ખખડાવી. પણ પિતા ને કાકા યુવતીના પક્ષે ઉભા રહયા. મા સંસાર પ્રેમી છે તેથી કંદમૂળના અનંત પાપનો ભય નથી. અને હાથમાં આવેલા આવા સુખને પુત્રી હડસેલી દે છે તેથી ગુસ્સે થાય છે. જયારે ભરયુવાન વયવાળી કુંવારી યુવતી પૂર્વભવમાં સાધના કરીને આવી હશે તો ભરચક સુખ મળવા છતાં પાપ ఉదయడీడీ @ ఉండదు Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy