SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ EP 00 ૮. તપની ભાવના ખરેખર છે ? સ્મૃતિબહેનને જો વારંવાર યાદ કરી તેમના અનુભવમાંથી તમે બોધપાઠ લો તો ચોક્કસ મહામંગલકારી તપ તમે કરી શકશો. તપના ધણાં બધાં લાભ છે. આજે લોકોમાં વિશેષ ધર્મ એક માત્ર તપ છે. સંસારમાં ફસાયેલાં પણ તપ તો જરૂર કરી શકે. સ્મૃતિબહેનનો જાત અનુભવ તેમના શબ્દોમાં વાંચો : ઘણાં વર્ષોથી રાત્રે સૂતી વખતે રોજ એક દુ:ખ અવશ્ય મને થતું કે હું કોઇ પણ તપ કરી શકતી નથી ! ઘણાં લોકો ઉપવાસ, આયંબિલ આદિ કર્યાં કરે છે. હૈયુ ભરાઇ જતાં ઘણી વખત આંખમાં આંસુ આવી જતા. સંકોચ હોવા છતાં ભાવના વધવાથી પૂ. સાધ્વીજી મ. ને મારી અંતરની વ્યથા જણાવી. તેમણે મને નિયમોથી સારૂં થશે એમ આશ્વાસન આપ્યું. દર ૩ કલાકે ભૂખથી ૧૨ આની જમવું. માત્ર ઉકાળેલુ પાણી પીવું. સાંજે પ્રતિક્રમણ ને સૂતા ચારે આહારનું પચ્ચક્ખાણ કરવું. એવા નિયમ આપ્યા. આજ સુધી મને ભૂખ ધણી લાગે. વારંવાર થોડું થોડું ખાવું જ પડે. છતાં શ્રધ્ધાથી આ નિયમો લીધાં, થોડા દિવસો તકલીફ પડી. પણ તપનો ભાવ ઘણો અને ધર્મમાં શ્રધ્ધા. તેથી આ નિયમો ચાલુ જ રાખ્યા. પણ પછી તો ધર્મ પ્રભાવે અને શરીર એમ ટેવાવાથી સહેલું થઇ ગયું ! આમ આખો દિવસ ખાનારા પણ હિંમત કરી તો અઠ્ઠમ વગેરે પણ કરતાં થઇ ગયા. તમે પણ દૃઢ મનથી આવા ઊંચા ધર્મને કરવા માંડો. જરૂર સફળતા મળશે. સંસારની જવાબદારીઓમાં પણ બહેનોએ યથાશક્તિ રોજ અને પર્વદિવસોએ તપ કરવો જોઇએ. તપથી અણાહારી પદ, નિર્જરા, પુણ્ય, અંતરાય નાશ, લબ્ધિઓ, સર્વત્ર સુખ અને શાંતિ, ભવોભવ ધર્મસામગ્રી વગેરે બધું ચોક્કસ મળે. વળી ટેવથી પર્યુષણા વગેરે શ્રેષ્ઠ દિવસોમાં પણ મોટો તપ કરી શકાય. * * હે વજ્ર સ્વામિજી ! આપના સમાન જ્ઞાનરાગ અમને પ્રદાન કરો Jain Education International my 2 ૧૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy