________________
રિખવચંદજીએ વિચાર્યું કે હવે વિજયવાડા કાલે જઈશ. તેમને મહત્વના કામે તાત્કાલિક વિજયવાડા જવાનું હતું. પણ કુલીએ ટ્રેન ચુકાવી દીધી. વિચાર્યું કે હવે કેસરવાડી દાદાની પૂજા, ભક્તિ કરી પછી ઘરે જઈશ. રસ્તામાં યાદ આવ્યું કે આજે પોતાને મદ્રાસની બહાર ન જવાનો નિયમ હતો. ઓચિંતું તાકીદનું કામ વિજયવાડાનું આવી જતાં પોતે નીકળી પડ્યા. પણ કૂલીએ ઉતારી દીધો તે સારું થયું, નહીંતો ભૂલથી મારો નિયમ ભાંગત.
રિખવચંદભાઈ ખૂબ ધર્મિષ્ઠ હતા; મદ્રાસના પ્રસિદ્ધ શ્રાવક હતા. નવકારજાપ વગેરે ધર્મ ખૂબ કરતા. સરળ અને શાંત હતા. કેસરવાડીમાં ભાવથી ભક્તિ કરી ઘરે પહોચ્યા, ત્યારે ઘરમાં તો રોકકળ અને શોક હતો. તેમને જોઈ ઘરવાળાં બોલ્યા: “તમે આવી ગયા ? બહુ સારું થયું. અમે તો તમારી ચિંતા કરતા હતા.”
કેમ શું થયું? એમ રિખવચંદજીએ પૂછતાં ઘરનાએ કહ્યું : “તમારી ટ્રેનને ભયંકર અકસ્માત થયો. એ સમાચાર મળ્યા. ઘણા બધા મરી ગયા; થોડા જ બચ્યા છે. તમે કેવી રીતે બચ્યા ?” સાંભળી રિખવચંદજી ને બધો ખ્યાલ આવી ગયો. બનેલી હકીકત ઘરનાંને કહી ત્યારે બધાં સમજી ગયાં કે નક્કી ખૂબ ધર્મી હોવાથી રિખવચંદજીને કોઈ દેવે માનવ રૂપે આવી ઉતારી મૂક્યા !! નહીંતર ટિકિટ હોય પછી ટી.સી. પણ ન ઉતારે, કુલી તો કોઈને પણ ન ઉતારે. આવા કલિકાળમાં પણ ધર્મ કેવી અદ્દભુત સહાય કરે છે. એ વિચારતા રિખવચંદજી અને ઘણાંની શ્રદ્ધા ખૂબ વધી ગઈ.
આવા મહિમાવંતા ધર્મની શ્રદ્ધા અને આરાધના તમે બધાં પણ ખૂબ ખૂબ કરો, જે તમને સર્વને સુખ અને શાંતિ આપે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org