________________
- ૭ સાચી ધર્મી માતાનો પુત્ર મહાન બને
અમદાવાદના વિજયનગરમાં રહેતા આગમિકની અલૌકિક આરાધના અતિ અનુમોદનીય છે. પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી આ છ વર્ષના બાળરાજાને ચૌદશના પ્રતિક્રમણમાં અતિચાર બોલતો સાંભળી ખુશખુશ થઈ ગયા. કોઈ નિષ્ણાત કિશોર ગિરદીવાળા રસ્તેથી કાર અફલાતૂન ચલાવે તેમ આ ટેણિયો એક પણ ભૂલ વિના સંઘની સમક્ષ કર્યા વિના અતિચાર બોલતો હતો!!! માત્ર પાંચ વર્ષની ખૂબ નાની વયે તો એ બે પ્રતિક્રમણ શીખી ગયેલો.
આ એવો પુણ્યપનોતો છે કે એણે આજ દિન સુધી આ જન્મમાં કાચું પાણી પીધું નથી !નરમ તબિયતને કારણે રાત્રે દવા અને દૂધ તેને આપવાં પડે છે. છતાં ૨ વર્ષથી રાત્રે તેની મમ્મી બીજું કશું આપતી નથી. લગભગ અઢી વર્ષથી રોજ સામાયિક કરે છે!
પાલડીનો ૭ વર્ષનો અર્પિતકુમાર વંદિતુ, નાની શાંતિ, મોટી શાંતિ પ્રતિક્રમણમાં ઘણી વાર બોલ્યો છે. હાલ અજિતશાંતિ તેની મમ્મી તેને ગોખાવે છે. પર્યુષણમાં એકાસણાં કરી ચોસઠ પ્રહરી પૌષધ કયૉ ! આ બધા સંસ્કાર માતા-પિતાના છે. તેની મમ્મીના શુભ સંસ્કારોથી બે પ્રતિક્રમણથી વધુ અભ્યાસ, નવકારશી, ચઉવિહાર વગેરે શ્રાવકના ઘણા બધા આચારોથી એણે પોતાના આત્માને શણગાર્યો છે. આ અર્પિતે જન્મ પછી ૪૦ દિવસ પછીથી
ક્યારેય પૂજા છોડી નથી ! સવા વર્ષની ઉંમરથી આરંભેલો રાત્રિભોજનત્યાગ આજ સુધી ચાલુ છે ! તેને કોઈ લાખ રૂ. આપે તો પણ રાત્રિભોજન કરવા તે તૈયાર નથી ! કલાકાર પોતાના પુત્રને નાનપણથી કળા શિખવાડે તેમ તમે જૈનો તમારા પ્રાણપ્રિય લાડકવાયાઓને પારણામાંથી કેળવો તો તેનું અને તમારું નામ અને કુળ રોશન કરશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org