________________
ઉલ્લાસ આવી જવાથી નવકારશીનો ચડાવો લીધો. પોતાની સ્થિતિ સામાન્ય.આટલા રૂપિયા લાવવા ક્યાંથી? નવકારશી પૂર્વે દેશમાં જતાં ગાડીમાં ધરમચંદજીએ ભ. શ્રી આદીશ્વરજી અને શ્રી પાર્શ્વનાથજીને પ્રાર્થના કરી કે આ પ્રસંગ આપ પાર પાડો. અને એવો ચમત્કાર થયો કે નવકારશીના ૧૦ દિવસ પહેલાં એક ભાઈ આવીને ધરમચંદજીને ૨ લાખ રૂપિયા આપી ગયા ! પ્રસંગ સારી રીતે પતી ગયો. પછી તો ધર્મપ્રભાવે ધરમચંદજી પાસે પૈસો ઘણો થઈ ગયો ! પેલા ભાગ્યશાળીને ૨ લાખ આપવા માંડ્યા. પણ તે લેતા નથી. ઘણું કહ્યું પણ તે માન્યા નહીં. હે પુણ્યશાળીઓ! તમને પણ આવો મહાન ધર્મ અનંત પુણ્ય મળ્યો છે. તમારે પણ સાચા દિલથી ધર્મ કરવો જોઇએ જેથી તમારું પણ આલોક અને પરલોકમાં ખૂબ આત્મહિત થાય.
[૧૭] પ્રભુના સ્મરણે કસ્ટમમાંથી છોડાવ્યા |
અમદાવાદના જિતુભાઈ થોડા વર્ષ પહેલાં અમેરીકા ગયા. સાથે ૧૫૦ જોડ રેડીમેડ કપડાં લઈ ગયેલા. એરપોર્ટ પર કસ્ટમવાળાએ તપાસતાં આ ૧૫૦ જોડની કસ્ટમ માંગી. તેમણે કહ્યું, “હું તો ફરવા આવ્યો છું, વેપાર માટે નહીં. કસ્ટમ નહીં આપું.” તેમને કસ્ટડીમાં ગોંધી દીધા. તેમને ખૂબ ચિંતા થઈ કે અહીં મને કોણ બચાવશે ? આપત્તિથી બચવા શ્રદ્ધાપૂર્વક ભગવાનનો જાપ કરવા લાગ્યા. કસ્ટડી પાસે કોઈ ન આવે છતાં ૧૦ મિનિટ પછી એક યુવતી ત્યાં દેખાઈ! વિના બોલાવ્ય જિતુભાઈ પાસે આવીને તેણે પૂછયું, “What is the problem ?” જિતુભાઈએ બધી વાત કરી. તે કહે “તમે ૫૦ ડોલર કસ્ટમ ભરી દો. છોડાવી દઉં.” જિતુભાઈએ હા પાડી. તે જઈને કસ્ટમવાળાને લઈ આવી. જિતુભાઇએ ૫૦ ડોલર આપી દીધા. કસ્ટમવાળાએ છોડી દીધા. પછી પેલી યુવતિ અલોપ થઈ ગઈ! પરદેશમાં જિતુભાઈ કોણ જાણે કેટલો સમય હેરાન થાત. પણ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org