SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ . . . . . . વળી સાંભળ્યું કે માનવવાઘ અર્જુનને પણ બૂઝવ્યો, રોજનો નરસંહાર અટકાવ્યો, તેઓએ પણ પ્રસ્થાનની તૈયારીઓ કરવા સેવકોને આજ્ઞા આપી. થોડી વારમાં ડંકોનિશાન ગડગડવા લાગ્યાં. મોટા ઠાઠમાઠ સાથે મગધરાજ પ્રભુ વીરને દર્શને ચાલ્યા. એક સુંદર અશોકવૃક્ષની નીચે પ્રભુ મહાવીર પદ્માસને બેઠા હતા. શું તેજ, શું કાંતિ ! મહારાજાના દિલમાં પ્રથમ દર્શને જ આકર્ષણ પેદા થયું. કુમાર અવસ્થામાં મગધરાજ આ સ્થળે ઘણી વાર ફર્યા હતા; પણ આજના જેવી રમ્યતા એ દિવસે કદી નહોતી લાગી. જાણે જુદો જ પવન, જાણે જુદાં જ વનવૃક્ષો, જાણે તદ્દન બીજી જ ભૂમિ ! હૈયું ગળી પડતું હોય, અનન્તકાળના પ્રવાસીને વિસામો લાધતો હોય એમ મહારાજાને કાંઈક ભાર ઊતરતો હોય તેમ લાગ્યું. પ્રભુ મહાવીરની અખંડ દેશના ચાલી રહી હતી, જાણે પહાડોમાંથી કોઈ સ્વતંત્ર ઝરણાનો પ્રવાહ વહી રહ્યો હતો. પ્રચંડ અર્જુન માળી દાઢી મૂછના કાતરા કરડતો શાંત ચિત્તે વાણી સાંભળી રહ્યો હતો. મગધરાજ વિનીતભાવે બેસી શાંતિથી ધર્મશ્રવણ કરી રહ્યા. એ દહાડે ન કેવળ અર્જુને કાયાનાં કલ્યાણ કર્યા, મગધરાજે પણ પ્રભુનો પંથ સ્વીકાર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005424
Book TitleArjun Mali Chandan Malayagiri
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy