________________
સત્યનો જય
ર૯
રસ્તે પરોણાના બે ટુકડા પડેલા હતા ને એક આખી લાકડીનું નિશાન ધૂળમાં પડેલું હતું. તેથી મેં ધાર્યું કે ગાડુ હાંકતાં પરોણો તૂટી ગયો હશે એટલે તેને નીચો ફેંકી દીધો છે અને પાછળ કોઈ માણસનાં પગલાં છે એટલે ગાડાની પાછળ કોઈ માણસ ચાલતો હશે. તેની આગળ લાકડી હશે તે માગી હશે, પણ તેણે હાથોહાથ નહિ આપતાં નીચે નાખી છે. વળી ત્યાં જ થોડા પાણીના છાંટા પડેલા છે, એટલે તેને છાંટીને લીધેલી જણાય છે. જો લાકડી આપનાર ચંડાળ હોય તો જ લાકડી છાંટીને લેવાની જરૂર રહે. માટે મેં ગાડાની પાછળ ચંડાળ ચાલે છે એમ અનુમાન કર્યું.
એ લાકડીના લિસોટા ને ગાડાના ચીલાની વચ્ચે થોડી થોડી માખીઓ પરુ પર બણબણતી હતી એટલે ધાર્યું કે તે સારથિ રક્તપિત્તવાળો કોઢિયો હશે. ગાડાની પાછળ ચંડાળનાં પગલાં હતાં, તેની પાછળ બીજાં પગલાં પણ જણાતાં હતાં. તે પગલાં સ્ત્રીનાં હતાં. તેમાં બધી રેખાઓ સ્પષ્ટ પડી હતી એટલે તે ઉઘાડા પગે જાય છે એમ અનુમાન કર્યું ને રેખાઓ ઉચ્ચ પ્રકારની હોવાથી તે બાઈ લક્ષણવંતી કોઈ વાણિયાની વહુ છે એમ જાણ્યું.
“વળી તેમાં કેટલાંક પગલાં ઊધાં હતાં તેથી તે બાઈ ઊભી રહીને પાછળ જોતી હોય એવું અનુમાન કર્યું. થોડા થોડા અંતરે એવાં પગલાં હતાં તેથી જરૂર તે કોઈ આવે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org