________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ - - - - - - રાજાએ સાગરને તેડાવ્યો ને વાત પૂછી. સાગર કહે, એ મશ્કરી ન હતી, પણ સાચી વાત હતી, રાજાજી ! તેમાં એ હાર્યો. એથી નક્કી કર્યા મુજબ મેં એનું ધન લીધું છે.' પછી વિગતથી બધી વાત કહી.
રાજા કહે, “વાહ ! આ તો ભારે ખૂબીની વાત. મને જરા સમજાવ કે એ બધું તેં શી રીતે જાણ્યું?” - સાગર બે હાથ જોડી બોલ્યો : “નિરીક્ષણ માત્રથી આ બધી હકીકત જાણી છે. કેરીની વાસવાળો પદાર્થ રસ્તા પર પડ્યો હતો તેથી મેં જાણ્યું કે કેરીનું ગાડું ગયું છે.” - ધૂળમાં પગલાં પડ્યાં હતાં, તે જોતાં જાણ્યું કે એક બળદ ગળિયો છે. બીજી બાજુનાં પગલાં જોતાં જાણ્યું કે ડાબી બાજુનો બળદ ડાબે પગે ખોડો છે. જમણી દિશાનું ઘાસ ચર્યો હતો ને ડાબી બાજુનું ઘાસ પડ્યું રહ્યું હતું, તેથી મેં જાણ્યું કે તે ડાબી આંખે કાણો છે. - “ગાડાનો હાંકનારો ગાડું હાંકતાં પેશાબ કરવા નીચે ઊતર્યો છે ને પેશાબ કરી પાણીથી હાથ ધોયા છે. આવો આચાર મુખ્યત્વે બ્રાહ્મણનો જ હોય. એથી મેં બ્રાહ્મણ સારથિનું અનુમાન કર્યું.
“ગાડાની પાછળ પાણીના છાંટા પડ્યે જ ગયા હતા. તેથી મેં ધાર્યું કે નક્કી ગાડાની પાછળ પાણીનો ઘડો લટકાવેલો હશે. તે હાલકડોલક થવાથી તેમાંથી પાણી પડતું હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org