SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ - - - - - કરીએ છીએ. પૈસા પેદા કરીએ છીએ. બાપાજી આપણાં વખાણ કેમ કરતા નથી ? ધન્નો કહે, સહુના નસીબનું સહુ ભોગવે છે. સહુનું કર્યું સહુ પામે છે. કોકનાં કરમની અદેખાઈ શી ? મન મોટું રાખીએ. કોઈને આપતાં શીખીએ તો કદી તૂટો ન આવે. જાણ્યું કે છોકરા છે દાઝીલા. પોતે ડાહ્યા નથી, અને બીજાનું ડહાપણ સંખાતું નથી. એમનું પારખું લેવા દે. એ સિવાય નહિ માને. - શેઠે બધા છોકરા ને બોલાવ્યા ને કહ્યું : “લો સોનામહોર. કરો તેનો વેપાર. સાંજે પાછા ઘેર આવજો. કમાણીમાંથી સહુને જમાડજો.' ધન્નો ચાલ્યો બજારમાં. એક દુકાન આગળ ઊભો. ત્યાં એક શેઠ બેઠાં બેઠાં કાગળ વાંચે. પાછળથી અવળા અક્ષર દેખાય. ધને તે ઉકેલ્યા. માંહી લખેલું : “હમણાં વણજારાની પોઠ આવશે. માહીં છે મોંઘાં કરિયાણાં. ઝટ જજો. વેચાતાં લઈ લેજો. બહુ નફો મળશે.” ધન્નો કહે, ચાલો આપણો બેડો પાર. ગયો ગામ બહાર. મળ્યો વણજારાને. ર્યો સોદો. ત્યાં આવ્યા ગામમાંથી શેઠ. તે બોલ્યા : અરે ! ભાઈ વણજારા ! વેચશો કે કરિયાણાં ? વણજારા બોલ્યા : શેઠ ! સોદો તો થઈ ગયો. આ ઊભા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy