SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ચક્રવર્તી સનતકુમાર . . . . . . . . બધાં પાપ કરે છે ? તેઓ જેટલી મહેનત આ શરીર પાછળ કરે છે તેટલી મહેનત આત્માને પવિત્ર કરવામાં કરે તો કેવું સારું! હવે આ શરીરના મોહથી સર્યું ! મરણ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી માટે ચાલ અત્યારથી જ હું તપનું આરાધન કરું - સંયમનું સેવન કરું. એમ વિચારી તેઓએ એક મુનિ પાસે દીક્ષા લીધી. સનતકુમાર છઠ્ઠ (બે ઉપવાસ) ઉપર છઠ્ઠ કરવા લાગ્યા. પારણાને દિવસે ચણા ને બકરીના દૂધની છાસ લેવા લાગ્યા. આ આહારથી તેમને શરીરમાં ભયંકર સાત રોગ લાગુ થયા. એક વખત સનતકુમાર જ્યાં તપ કરતા હતા ત્યાં બે વૈદ્યો આવ્યા. તેમણે કહ્યું : “હે રાજર્ષિ, અમે ધર્મવૈદ્ય છીએ. બધાની મફત દવા કરીએ છીએ. આપ કહો તો આપના રોગોની દવા કરીએ.' - સનતકુમાર બોલ્યાઃ “અરે ભાઈ ! તમે શેની દવા કરો છો ? શરીરના રોગની કે આત્માના રોગની ? જો આત્માનો રોગ મટાડતા હો તો કહો. બાકી શરીરના રોગ તો હું પણ મટાડી શકું છું.' એમ કહી કોહી ગયેલી હાથની આંગળી પર ઘૂંક લગાડ્યું. આંગળી તરત ચંપકવરણી થઈ ગઈ. બધા રોગ દૂર થઈ ગયા. આ જોઈ પેલા વૈદ્ય તેમના ચરણે પડ્યા ને બોલ્યાઃ હે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy