SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ 1 2 , જનલાલ થાવલિ કેલી , ભૂદેવો, જોયું મારું રૂ૫. મારી સામે ઇંદ્રરાજ પણ ઘડીભર ઝાંખો લાગે ને?” પણ પેલા ભૂદેવો તો ખુશી થવાને બદલે દુઃખી થતા લાગ્યા. ચક્રવર્તી કહે : “અરે, તમે મારું રૂપ જોયું. હવે મારું બળ જુઓ, મારું સૈન્ય જુઓ, મારી નગરી જુઓ, ને પછી તમારા દેવરાજને બધી વાત કરજો.” આટલું કહેવા છતાંય પેલા બ્રાહ્મણો રાજી ન થયા, બલકે વધુ દુઃખી થતા જણાયા. ચક્રવર્તી કહે, “અરે, મને તમારા દુઃખનું કારણ કહો !” ચક્રવર્તી રાજા, અમને આટલું બધું સુંદર રૂપ જોઈ એમ થાય છે, કે અરે, વળી આ રૂપ શા કામનું ! એ તો પાંચ દસ વર્ષમાં રણમાં લડવૈયો રોળાઈ જાય, એમ રોળાઈ જવાનું, ને આ બળ, આ સૈન્ય, આ ધન અહીં જ પડ્યું રહેવાનું. નાશવંત વસ્તુ પર વળી અભિમાન શાં !' સનતકુમારને ભૂદેવોની વાત સાચી લાગી. એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. અરે, શરીરની રૂપકાંતિ પર હું ખોટો મોહ્યો. આ દેહ તો એક દહાડો ભાડાના ઘરની જેમ છોડવાનો છે. આત્માનો કાંઈ વિચાર કરવો જોઈએ. તેમને શરીરસંબંધી ખૂબ વિચાર આવ્યા; ધિક્કાર છે રોગના ઘર આ શરીરને ! ગમે તેટલું ખાવ, પીઓ ને એને શણગારો, પણ એ તો ઘડીમાં બગડી જવાનું. અહા ! માણસો આ શરીરને પોષવામાં કેટલાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy