SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ . . .ن.ت.ت. વાત મારા મોઢે શું કરું? આ તારી ભાભી બધી વાત કરશે.” એમ કહી બકુલમતીને નિશાની કરી એટલે તેણે વાત કહેવી શરૂ કરી: “તમારા મિત્ર ઘોડે બેસીને દૂર નીકળી ગયા. ઘોડો કોઈ રીતે વશ રહ્યો નહીં. તે જંગલમાં આવી ચડ્યો. બીજા દિવસે બપોર સુધી દોડદોડ કર્યું, આખરે થાકીને હાથ જીભ કાઢી નાખી. એક ઝાડ નીચે ઊભો રહ્યો. તમારા દોસ્ત, આટલી લાંબી મુસાફરીથી અકડાઈ ગયા હતા. તે બહુ મહેનતે નીચે ઊતર્યા.” એ ઘોડો મારો હતો. મારા પિતા વિદ્યાધર ભાનુવેગે અમારા માટે વર શોધવા મોકલ્યો હતો. મૃત્યુલોકમાં પણ અમૂલખ માનવીઓ વસે છે, જેમની સુકીર્તિ પર પ્રત્યેક વિદ્યાધર-કન્યા મરી ફીટે છે. એમાં એક બે યક્ષો તો વાતો કરતા હતા, કે રાજા અશ્વસેનના કુમાર સનતનું રૂપ તો ત્રિલોકમાં થયું નથી. એ જ સનતકુમાર જ્યારે આ ભૂમિમાં આવ્યા, ત્યારે યક્ષો એમને ઉપાડી જવા માટે મથવા લાગ્યા, પણ સનતકુમાર એમ કાંઈ ગાંજ્યા જાય તેમ નહોતા. એમણે સહુને હરાવ્યા ને આગળ વધ્યા.' થોડે દૂર એમણે એક નગરી જોઈ. ઊંચા ઊંચા વાદળથી વાતો કરતા મહેલ. સોનાનાં શિખરો ને ઉપર રૂપેરી આભ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy