________________
છે, છતાં એણે ફળ જાતે આરોગ્યું નહિ, ને પ્રભુને અર્પણ કર્યું. પેટપૂજા કરતાં પ્રભુપૂજા મોટી, એ આપણ નુગરાં પંખી કયારે સમજશું ભગ કરતાં ત્યાગ મેટ એ ભાવના આપણામાં કયારે જાગશે?
સૂડી શરમાઈ ગઈ. આમ્રફળ લઈ પ્રભુ સન્મુખ ઠવ્યું ! દુર્ગાબાઈ ત્યાં ઊભી હતી. તે રાજી થઈને બેલીઃ
“હે શુકરાજ અને સૂડીરાણી ! ઘણાં માણસ નથી સમજતાં, તે તમે પંખી સમજ્યા. ખરેખર ચતુર સુજાન છે તમે. જે જીવ પ્રભુ આગળ ફળ અર્પણ કરે, એની સર્વ આશા ફળે, એનું આયુષ સફળ થાય.”
હવે તે દુર્ગતાબાઈને અને શુક્યુગલને દસ્તી બંધાઈ. રેજ પ્રભુ પાસે ફળપૂજા કરે. સમય જતાં દુર્ગાબાઈ ગુજરી ગઈ. મરીને દેવકમાં દેવ થઈ.
શુકપંખી પણ આયુ પૂર્ણ કરી ગંધીલા નગરીમાં, સૂરરાજાની રત્નાદે રાણુના ગર્ભમાં આવ્યું. રાણુને આમ્રફળ ખાવાને દેહદ થયે. રાણી કહે, મને આમ્રફળ લાવી આપે.
રાજા કહે, “આયુષ આખું આપું તોય અત્યારે અકાળે આમ્રફળ ન મળે.'
રાણી કહે, તો નહિ જીવું, રાજ! એક સાથે બે હત્યા થશે.”
રાજા મૂંઝાયો. ખાવુંપીવું અકારું થયું. રાણી મેતના બિછાને પડી. આ વખતે દેવનું સિંહાસન ડોલ્યું. પેલા દુર્ગતદેવે જાણ્યું કે મને નિરંતર ફળ આપનારને ફળની જરૂર પડી છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org