________________
--
ભૈરવજપ (ટેકરા પરથી પડીને મરી જવું) ખાવા. આ વખતે ગિરનાર પર એક મુનિ મળ્યા. તેઓએ કહ્યું: ‘સંસારનાં દુઃખ:કલેશ ઉપભાગાંતરાયનું ફળ છે. એનાથી મૂઝાવું નહિ, આત્મહત્યા કરી દેહથી છૂટીશ, પણ કાઁથી નહિ છૂટી શકે. કર્મથી છૂટાય તેમ કર ! આ ભૂખ–તાપ –તૃષા તારાં કરેલાં કર્માંનાં ફળ છે. પરભવમાં તું રાજા હતા–શિકારે ચડેલા. એક હરણ તારા હાથમાંથી છટકી ગયુ.. તે ધ્યાનમગ્ન મુનિને દિશા પૂછી. એ શું દિશા બતાવે? તે ગુસ્સે થઇ મુશ્કેટાટ બાંધ્યા. અઢાર ઘડી એ બંધન રહ્યાં. તેને અઢાર વર્ષના અંતરાય લાગ્યા.’
ભીમસેને પૂછ્યું : 'એ સમય કયારે પૂરા થશે ?'
મુનિ કહે, ‘નજીકમાં જ છે. જા, ભગવાન તેમનાથની અમર સુધા જેવી વાણીને! આસ્વાદ કર !’ ભીમસેન ભગવાનની પરિષદામાં ગયા, તેમના અનુરાગી થયા, તે તપ-સ્વાધ્યાય દ્વારા ક` ખપાવવા લાગ્યા. એક દહાડા તેના ભાઈ રાજા જિનવલ્લભ સંધ સાથે રૈવતાચલની યાત્રા કરવા અને બાવીશમા તીર્થંકરને વાંઠવા આવ્યા. એણે પેાતાના વડીલ બંધુને જોયા. બંને બાથ ભીડીને મળ્યા. નાના ભાઇએ મેાટા ભાઈને ગાદી સંભાળી લેવા કહ્યું,
.
ભીમસેન નાના ભાઇના આગ્રહથી રાજધાનીમાં ગયા, રાજા થયા. ઘણાં વર્ષોં રૂડી રીતે સ્વક્તવ્ય આચરી, ન્યાયથી પ્રજાનું પાલન કર્યું તે આખરે રૈવતાચલ પર આવી સાધુ થયા, તે આત્મકલ્યાણ સાધ્યું.] બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; જિન
નળ–દમયંતી, સતી સીતાજી, ખટ્યાસી આક્રંદના રે. જિન
Jain Education International
૩૫
For Personal & Private Use Only
www.jainelibrary.org