________________
બીજી આવૃત્તિ પ્રસંગે
શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી દશ વર્ષ પહેલાં, સને ૧૯૬૪ની સાલમાં, પ્રગટ કરેલ આ પૂજાની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમે સંતોષ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ' આ નાના સરખા પ્રકાશનની એક નાની સરખી છતાં અમારે માટે સદા યાદગાર બની રહે એની કથા છે. આ ટ્રસ્ટનાં એક પ્રેરક અને મારાં સહધર્મચારિણું અ.સૌ. લીલાવતીને વિ. સં. ૨૦૧૮માં દેહવિલય થશે તે વખતે તેઓને અતિપ્રિય એવું પૂજા-સાહિત્ય પ્રગટ કરે છે તેટલું સરળ, રંજક ને સુઘડ રીતે રજૂ કરવું–એવી ભાવના અમારા અંતરમાં ઉદ્દભવેલી.
એ ભાવના અનુસાર સ્વર્ગસ્થની પહેલી મૃત્યુતિથિએ પં. શ્રી વીરવિજયજીકૃત “બાર વ્રતની પૂજા અર્થ સાથે અમે પ્રગટ કરી હતી. અને એમની બીજી મૃત્યુતિથિએ એ કવિવરની રચેલી “અંતરાયકર્મનિવારણ પૂજા અર્થ સાથે ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવી હતી. આ જોકપ્રિય કાવ્યકૃતિનું અમે શક્ય તેટલું સંશોધન અને સુશોભન કરવા પ્રયાસ કર્યો હતો; અને એમ કરતાં અમારા મનને પ્રભુની આંગી રહ્યા જે આનંદ આવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org