SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ એ વખતે એક શુક્યુગલ ત્યાં આવ્યું. શુકે પિતાની દુકાને વાત કરીઃ “ઓહ કર્મની ગતિ વિચિત્ર છે. આ રાણી કઈ ભવમાં શુભમતિ નામે રાણી હતી. જયસૂર નામે રાજવી તેને પતિ હતા. વનમાં ફરતાં એક વાર એમના નાકને દુર્ગધ સ્પર્શી ગઈ. રાણું નાકે રૂમાલ દબતી બેલી, “ઓહ! આ દુર્ગધ દૂર કરે! રાજા કહે, આ ગંધ મુનિના દેહમાંથી આવે છે. આ મુનિઓ સંયમરૂપ જળમાં સ્નાન કરનાર છે, નિત્ય પવિત્ર જ છે. છતાં રાણીને આગ્રહથી રાજાએ જળથી મુનિને પખાળ્યા ને અત્તર વગેરેથી વિલેપન કર્યું ! રાજારાણું ચાલ્યાં ગયાં, પણ સુગંધલોભી ભમરાઓ આવ્યા ને એમણે સાધુના દિલને ફેલી ખાધું. શુભમતિ થોડા વખતે પતિ સાથે ત્યાં આવી. એણે સાધુને શેાધ્યા તે ન મળેએક ઠેકાણે દવથી દાઝેલું થાડયું ઉભું હતું. જોયું તો પેલા દયાના સાગર મુનિ! કેવી દુર્દશા! રાણું ખૂબ અફસોસ કરી રહી. વિવેક વગર સારું કરવા જતાં ખરાબ થયું! ખરેખર, ધૂળથી ને કાદવથી લેકે મલિન નથી, પણ પાપરૂપ પકથી જે મલિન છે, તે જ ખરા મલિન છે. શુકા શુકને પૂછવા લાગીઃ “આ રાણીને દેહ નિર્મળ કેમ બને?” શુક કહે, “પ્રભુચરણની પૂજાથી સર્વ ઇચ્છિત પ્રાપ્ત થાય છે. ગંધથી પ્રભુ પૂજા કરે તે તેની દુર્ગધ જાય અને તે નીરોગી થાય.' રાણીએ તેમ કર્યું અને તે નીરોગી થઈ.] શ્રાવક દાનગુણ કરી રે, તુંગિયાભંગ દુવાર; શ્રી “શુભવીરે વખાણિયારે, પંચમ અંગ મઝાર. કરપી ભંડો સંસારમાં રે! ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy