________________
વ્રતની પૂજાની ઢાળામાં તેઓએ આખા ઉપાસકદશાંગ સૂત્રને ગૂંથી લીધું છે; સાથે પ્રાચીન પૂર્વે પુરુષોનાં ચરિત્રો પણ તેમાં ગૂધ્યાં છે. ચોસઠ પ્રકારી પૂજામાં આખા કર્મવાદને સમાવી દીધું છે અને સરળ રીતે શ્રોતાઓને સમજાવી દીધે છે. તેઓએ રચેલી ડીએક કૃતિઓને નામોલ્લેખ કરીને આપણે સંતોષ લઈશું. આજને અભ્યાસી પં.વીરવિજયજીની પૂજા, રાસાઓ અને સ્તવન પર એક મહાનિબંધ લખી ડોકટરેટની પદવી લઈ શકે એટલી વિપુલ અને વિવિધ સામગ્રી એમની કૃતિઓમાં ભરી પડી છે.
દશાણુભકની સઝાય (ઉત્તરાધ્યયન સુત્રના આધારે); કેણિકનું સામૈયું (આચારાંગ સૂત્રના આધારે); ચાતુર્માસિક દેવવંદન વિધિ, અક્ષયનિધિતપસ્તવન (કલ્પસૂત્રના આધારે); ચાસઠ પ્રકારી પૂજા-કર્મ પર (સં. ૧૮૭૪ અમદાવાદ); ૪૫ આગમની પૂજા (સં. ૧૮૮૧, અમદાવાદ); નવ્વાણુપ્રકારી પૂજા (શત્રુંજય માહા, સં. ૧૮૮૪, પાલીતાણા); બાર વ્રતની પૂજા (સં. ૧૮૮૭ દિવાળી, અમદાવાદ, ઉપાસકદશાંગ સત્રના આધારે); ઋષભ ચિત્યવંદન (ભાયખલા પ્રતિષ્ઠા સં. ૧૮૮૮); પંચકલ્યાણક પૂજા (શંખેશ્વર, સં. ૧૮૮૯); મોતીશાનાં ઢાળિયાં; ધમ્મિલકુમાર રાસ; હિતશિખામણની સક્ઝાય; મહાવીરના ૨૭ ભવનું સ્તવન; ચંદ્રશેખર રાસ; હઠીસિંહનાં ઢાળિયાં (સં. ૧૯૦૨); સિદ્ધાચળ-ગિરનાર સંવ વર્ણન (સં. ૧૯૦૫); સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન (સં. ૧૯૦૮); સ્તવન-સજ્જાયાદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org