________________
વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણું આઠમી : ૫–૧૪૫
કવિ શાસી ભેટ
ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય કવિ ગણાય છે; અને કવિ પ્રેમાનંદ ગુજરાતના પ્રાચીન કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આજે તો પ્રેમાનંદની શ્રેષ્ઠતા વિદ્વાનમાં સામાન્ય રીતે સ્વીકારાઈ ગયેલી છે. પરંતુ એક કાળે શામળ ભટનું નામ એ સ્થાન માટે ભારપૂર્વક રજૂ થતું હતું. એવા એ ગૂજરાતના એક પ્રથમ પંક્તિના કવિને થોડોક પરિચય આજે આપણે કરીએ.
જીવનચરિત્રો લખવાને કે જીવનપ્રસંગોની નેધ રાખવાને આપણું દેશમાં બહુ રિવાજ નથી; તેથી આપણે અનેક મહાપુરુષોનાં જીવન શુદ્ધ સ્વરૂપમાં આપણને જાણવા મળતાં નથી. શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કે પ્રેમાનંદ કોઈનું પણું જીવન લોકકલ્પનાના રંગે રંગાયા વિનાનું આપણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org