________________
રાષ્ટ્રકૂટ વંશના લેખો કક્ક ૨ જાનાં આંત્રોલી છારેલીનાં તામ્રપત્રો
શ. સં. ૨૭૯ આશ્વયુજ સુ. ૭ સુરત પ્રગણુના એરપાડ તાલુકામાંના કારેલી ગામના પાટીલ ડાહ્યાભાઈ જગદીશ તેમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્કંઠાને લીધે આ પતરાં મારી પાસે લાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સુરતથી ઈશાન ખૂણે આશરે દસ માઈલ છેટે છારોલી જે આંત્રોલી છારોલી તરીકે મશહુર છે તેમાં પાયે ખેદતાં આ પતરાં મળ્યાં હતાં.
પતરાં બે છે અને તે ૮ ઇંચ ઉંચાં અને ૧૩ ઇંચ પહોળાં છે. અને અંદરની બાજુએ જ કતરેલાં છે અને બે કડી હોય એમ અનુમાન થાય છે, છતાં તેમાંની એક અત્યારે મળતી નથી. જે કડી મેજીદ છે તેના ઉપરની સીલમાં ગરૂડનું ચિત્ર ખંડિત દશામાં આપેલું છે, પતરાં સંભાળપૂર્વક કરવામાં આવ્યાં છે અને તે સુરક્ષિત છે. વલભી અને ચાલુકાનાં તે સમયનાં તામ્રપત્રના જેવી લિપિ છે. ભાષા સંસ્કૃત છે અને વંશાવળી વિભાગ પદ્યમાં છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે. ભટ્ટ રેવિસર( અથવા રવીશ્વર)ના દીકરા કુકકેશ્વર દીક્ષિત જે જાંબુસર(ભરૂચ જીલ્લામાં હાલનું જંબુસર)ને રહેવાશી હતું તેને કાશકુલ વિષયમાં સ્થાવર ૫લિકા નામનું ગામ દાનમાં આપ્યાની હકીકત આ તામ્રપત્રમાં છે. સ્થાવર પાલિકા તે હાલનું છાલી જ હશે, એમ હું માનું છઉં. તેની સીમા નીચે મુજબ આપેલી છે. ખેડાની પશ્ચિમે અને હેજ દક્ષિણમાં, પિમ્પલોચ્છની ઉત્તરમાં અને કાષ્ઠપુરી અને વટ્ટારની પૂર્વ.
દાન આપનાર રાષ્ટ્રકટ વંશનો કકક છે તેની વંશાવલી નીચે મુજબ આપેલી છે:
કઠ ૧ લાને રાષ્ટ્રકટ કુળરૂપી કમળના જથ્થાના સૂર્યરૂપ કહ્યો છે. આવું વર્ણન તે કુટુંબમાં જનમ્યા હોય તેને જ લગાડી શકાય. ત્યાર પછીને ધ્રુવ સ્પષ્ટ રીતે તેને દીકરે હવે,
એમ વર્ણવ્યું છે. ત્રીજે રાજા ગેવિંદને પણ સ્પષ્ટ રીતે
ધ્રુવને દીકરો કહેલ છે. આમાંના છેલલા રાજા કw બીજાને ધ્રુવ
તે નાગવર્માની દીકરીથી ગેવિંદના પુત્ર તરીકે લખે છે
આ તામ્રપત્રોમાંના રાજાનાં નામે પ્રખ્યાત રાષ્ટ્રકૂટ નાગવર્માની દીકરીને પરો.
વંશના રાજાઓની સાથે મળતાં આવે છે, પણ તે વંશની
જે વંશાવળી પ્રસિદ્ધ થઈ છે ( ડીનેસ્ટીઝ એફ કેનેરીઝ દાન આપનાર શ. સં. ૨૭૯ ડીસ્ટ્રીકટ ૫. ૩૨ ઈ. એ. જે. ૧૧ ૫. ૧૦૯ અને ઈ. એ
છે. ૧૨ પા. ૧૭૯) તેની સાથે સરખાવતાં આ ચાર રાજા એનાં નામ બંધ બેસતાં આવતાં નથી. કારણ કે આ દાનની તિથિમાં અને દક્તિદૂર્ગ અથવા દન્તિવમાં બીજનો સામનગઢનાં તામ્રપત્રની તિથિમાં ચાર વર્ષને જ તફાવત છે. આપણે જે એમ અનુમાન કરીએ કક્ક ૧ લા ને ઇંદ્ર બીજ અને કુણું ૧ લા ઉપરાંત ધ્રુવ નામે ત્રીજે દીકરો હતે તો કંઈક બંધબેસતું આવે તેમ છે.
વળી આ તામ્રપત્રને બનાવટી માનવાને કંઈ પણ કારણ નથી. લિપિ તે જ સમયની છે અને ગોવિદની પત્ની તે નાગવર્માની દીકરી હતી તે હકીક્ત બનાવટી તામ્રપત્ર લખનાર ઉપજાવી શકે નહીં.
અત્યારે તે એમ સમાધાન થઈ શકે કે આ ચાર રાજામાં પહેલે કકક તે કક્ક ૧ લો માન, અને બાકીના રાજાઓ ઇદ્ર ત્રીજાથી શરૂ થતી ગુજરાત શાખાના પૂર્વજ હાય બીજાં તામ્રપત્રોથી આ હકીકત પૂરવાર થાય ત્યાંસુધી આ એક અટકળ જ રહી શકે.
* જ, બે, બેં ર. એ. સ. વ. ૧૬ પા. ૧૦૫ ડે, ભગવાનલાલ ઇંદ્રજી
ગેવિંદ
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org