________________
એ
પ્રથમથી જ આ
છે તેમ જ ગુજરાત હસને ઉપયોગી થાય,
गुजरातना ऐतिहासिक लेख ગુજરાત બહાર માળવા મેવાડ ઉપર આણ ફરતી તેવાઓએ પિતે કે તેના સામતેઓ ત્યાં લખા વેલા લેખે પણ આમાં સંગ્રહિત થવા જોઈએ. તેમજ દક્ષિણના રાષ્ટ્રકૂટ અને કનેજના પ્રતિહારની અમુક વખત ગુજરાત ઉપર સત્તા હતી તેઓના લેખન અને ગુજરાત બહારના પણ પ્રસંગોપાત ગુજરાતને લગતા લેખેને પણ આમાં સમાવેશ કરે જોઈએ. આ સંબંધમાં મારે જણાવવું જોઈ એ કે કુમારપાળ અને સિદ્ધરાજ વિગેરેના ગુજરાત બહારના ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી લાગ્યાતેવા લેખેનો પ્રથમથી જ આ બીજા ગ્રન્થમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જ દક્ષિણના રાષ્ટ્રકૂટ એ ગુજરાતમાં આપેલાં દાનસંબંધી લેખો તેમ જ ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટોને બધા લેખો આમાં સંગ્રહિત કરેલાજ છે. ગુજરાત બહારના પણ ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થાય તેવા લેખોનું પત્રક તૈયાર કરી ત્રીજા ગ્રંથની અંતમાં છાપવાને પણ સભાએ હમણાં ઠરાવ કર્યો છે.
વલભીનાં બધાં તામ્રપત્રો ન છાપવાની ભલામણ માટે મેં મારો અભિપ્રાય ગ્રંથ ૧ લાની પ્રસ્તાવનાના પારીગ્રાફ પાંચમામાં રજુ કરેલ છે તેથી વિશેષ કહેવાનું રહેતું નથી. આમાં બધા લેખો આખા છાપવાથી અગવડતા થવાને બદલે સગવડતા વધે છે તેથી ખાસ બચાવ કરવાની પણ જરૂરીયાત લાગતી નથી. - પૂ. મહામહોપાધ્યાય ૫. ગૌરીશંકર ઓઝા, શાસ્ત્રી દુર્ગાશંકરજી તેમ જ પ્રેફેસર એમ. એસ. કેમીસેરીએટ ઈત્યાદિ શુભેચ્છકે એ ગ્રંથ ૧ લા માટે જે સંતેષ પ્રદર્શિત કરતા અભિપ્રાય મોકલ્યા છે તે ટાંકવામાં આડમ્બર તથા આમ સ્તુતિને આભાસ આવે તેથી અહી રજુ કરેલ નથી. પ્રે. કેમીસેરીએટે તે આની અંગ્રેજી આવૃત્તિ થાય તે ઇષ્ટ છે, એમ પણ ઈચ્છા પ્રદર્શિત કરી છે. તે બધાએ આભાર માનવાની આ તક લઉં છઉં.
આ. ગિ. વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org