SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૧૬ દ૬ ૨ જાનાં ઈલાવમાંથી મળી આવેલાં તામ્રપત્રો (શક) સં. ૧૭ જ્યેષ્ઠ વદિ અમાવાસ્યા (ઈ. સ. કલ્પ–૬) દ૬ ૨ જાન ઈલાવનું દાનપત્ર પ્રથમ પ્રોફેસર આર. જી. ભાંડારકરે જ છે. . ર. એ. સે. . ૧૦ પા. ૧૯ માં પ્રસિદ્ધ કર્યું હતું. બેબે ઍચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનાં મૂળ પતરાંઓ ઉપરથી, લીગ્રાફ સાથે, તે હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. તે ભરૂચ ડિસ્ટ્રિકટમાં ઈલાવ નજીક મળ્યાં હતાં. આમાં બે પતરાં છે. દરેક ૧૧” લાંબું અને ૬ ” પહેલું છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા છે, અને લેખ આખે સુરક્ષિત છે. બે કડીઓ માટે કાણું છે, પરંતુ જ્યારે પતરાં મને મળ્યાં ત્યારે ફક્ત ડાબી બાજુની કડી કાપ્યા વગરની રહી હતી. તે લગભગ " જાડી અને વલભીની કડી જેવી સાધારણ ગોળ છે. તેના ઉપરની મદ્રા એકંદરે મેળ છે. તેનો વ્યાસ આશરે ૧ ” અથવા ૧” ને છે. તેની ઉપર ઉપસેલી બિંબાકાર સપાટી પર કંઈક ચિત્રામણ છે. તે કદાચ પક્ષી રૂપમાં ગરૂડની આકૃતિ હશે. તેની નીચે લીગ્રાફ કરતાં મૂળમાં વધારે સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં “શ્રી- (૬) ” લેખ છે. આઘોપાંત ભાષા સંસ્કૃત છે. અને છેક ૧૩ મી પંક્તિ સુધી લેખ ઉમેટાનાં દાનપત્રના લેખ સાથે લગભગ અક્ષરશઃ મળતો આવે છે. વળી આ બન્ને દાનપત્રાની પં. ૧ થી ૬ સુધીનું દ૬ ૧ લાનું વર્ણન ખેડાનાં બે દાનપત્રની ૫. ર૫ થી. ૩૧ સુધી દદ્દ ૨ જાનાં વર્ણનમાંથી શબ્દ શબ્દ લીધેલું છે. લેખ દ૬ ૨ જા ઉર્ફે પ્રશાંતરાગના સમયને છે. તેમાં તિથિ શકે ૪૧૭ (ઈ. સ. ૪૯પ-૨) ના ચેષ્ઠ અમાવાસ્યાને દિવસે સૂર્યગ્રહણ સમયની છે. તે દિવસે જનરલ કનીગહામની સૂચનાનુસાર બુધવાર તા. ૮ મી જુન ૪૯૫–ઈ હતી તે દિવસે સૂર્યગ્રહણ પણું હતું. પરંતુ તે ગ્રહણ પારિસમાં સાંજના ૬-૩૦ વાગે થયું હતું. એટલે ગુજરાતમાં તે રાત્રે લગભગ ૧૧ વાગે થયું હતું અને દેખાય એવું નહતું. અર્થાત આ ગ્રહણ હિંદુ ખગોળવેત્તાઓ ધ્યાનમાં ન લે તેવું હતું. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી, જેણે આ દાનપત્રના ખરાપણુ વિરૂદ્ધ આગળ પા. ૭ર થી ૭૪ માં ટીકા કરેલી છે અને જે ધ્યાનમાં રાખવા લાયક છે તે એમ ધારવા પ્રેરાય છે કે ગુર્જ૨નાં દાનપત્રના ખરા સંવતના વર્ષ ૪૧૭ ના જયેષ્ઠ અમાવાસ્યાને દિવસે થયેલા સૂર્યગ્રહણની ખરી માહિતી આ બેટે લેખ બનાવી કાઢનારે મેળવી હશે, અને તેના ખરા સંવતની માહિતી નહીં હોવાથી તેણે વર્ષને શકના સંવત્ તરીકે જણાવ્યું. આ મત પ્રમાણે જનરલ કનીગહામે કરેલી ગણુત્રીનું પરિણામ આગળ પાને ૭૭ માં આપ્યું છે. ભરૂક અથવા ભરૂચના દરવાજા પાસે વિજયી છાવણીમાંથી આ દાનપત્ર અપાયું છે, અને અને દાનપત્રમાં અકુલેશ્વરના “વિવા' માં આવેલાં રાઈધમ ગામને ઉલલેખ છે. અકલેશ્વર એ નં. ૧૩૯ અને ૧૪૦ના દાનપત્રનાં અરેશ્વરનું, હાલનાં અંકલેશ્વર અથવા અંકલેશ્વરને બહુ જ મળતું બીજું નામ હશે. આપેલાં ગામની પૂર્વે વારણેર ગામ,જેને પ્રોફેસર ભાંડારકર લાવની ઈશાન કાણુમાં આશેર ૪ મૈલ ઉપર અને અંકલેશ્વરની અગ્નિ કેણુમાં આશરે ૮ મૈલ ઉપર આવેલા હાલના વાલનેર' તરીકે ઓળખાવે છે; દક્ષિણે વરષ્ણા નદી, જેને તે હાલની “ વંદ–ખરી” તરીકે ઓળખાવે છે; પશ્ચિમે શુકડક અથવા શુંઠવાડક ગામ; અને ઉત્તરે અલમ ગામશંવડક અગર શુંઠવાડક એ કદાચ સુરત ડિસ્ટ્રિકટમાં ચીખલી” તાલુકામાં આવેલું હાલનું “સંથવાડ' હશે. પરંતુ આ ગામના ચોક્કસ સ્થાન વિશે ખાત્રી કરવા માટે મારી પાસે નકશા નથી. રાઈધમ અને અરલૌમનાં ગામડાંઓનું નિશ્ચિત સ્થળ હજી જાણવાનું બાકી રહે છે. • ઈ. એ. જે. ૧૩ પા. ૧૨૫ જે, એક લીટ ૧ શિવના અકુલ નામ ઉપરથી કદાચ પડયું હશે. ૨ઃ પોતાના ચર્ચાપત્રના મથાળે છે. ભાંડારકર એમ કહે છે કે આ દાનપત્ર સરત ટિકટમાં ગામડાંમાંથી ઉપલબ્ધ હતું, પરંતુ તેના ચર્ચાપત્રના અંતમાં જે પ્રમાણે પોતે જ કહે છે તેમ ઈલાવ કે જ્યાંથી આ દાનપત્ર મળી આવ્યું હતું તે ગામ ભરૂચ ડિસ્ટ્રિટમાં આવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy