________________
નં. ૧૧૪
દ૬ ૨ જાનાં ઉમેટાંનાં તામ્રપત્રો
(શક) સંવત ૪૦૦ વૈશાખ સુદ ૧૫ નીચે આપેલું ભરૂચના દ૬ ૨ જાનું દાનપત્ર ૧૮૭૫ માં બોરસૂદના રેવ. જોસેફ ટેલરને ઉમેટા(ખેડા જીલા)માં એક વાણિઓના ઘરમાંથી મળ્યું હતું. પ્રથમ મી. ટેલરે મને પતરાંઓની છાપ આપી, અને થોડા વખત પછી તેના માલિકને થોડા દિવસ સારૂં અસલ આપવા માટે બહુ મુશ્કેલીથી) સમજાવ્યા. તે વખતમાં મેં એક “હાફ સાઈઝ” ફોટોગ્રાફ લેવરાવી લીધે, તે ફોટોગ્રાફ પતરાં સારી સ્થિતિમાં હોવાથી બહુ સ્પષ્ટ આવ્યું. આ સાથે જે ફેટેઝિકગ્રાફ એ ફોટોગ્રાફની નકલ ઉપરથી તયાર કર્યો છે.
પતરાંઓનું માપ ૧૨ ઇંચ x ૧૭ ઇંચનું છે. ડાબી બાજુનું કડું તેના ઉપરની મુદ્રા સહિત તેની ગ્ય જગ્યાએ જ કાયમ છે. મુદ્રા ઉપર ડે. બર્નનાં ખેડાનાં પતરાના “ સામા”ના જે લેખ છે. પણ મુદ્રા ઉપરના અક્ષરે એટલા બધા કટાઈ ગયા છે કે પહેલાંના દાનપત્રની મદદ સિવાય તે સમજવા મુશકેલ પડશે. પતરાં અને મુદ્રા બન્ને બહુ ભારે છે. પતરાંઓ ઉપ૨ કાટ લાગ્યો નથી. તે સંભાળપૂર્વક રાખ્યાં છે અને કદાચ આમલીના પાણીમાં સાફ કર્યો હશે. પહેલા પતરાની છેલ્લી પંક્તિ, અને બીજાની છેલ્લી પંક્તિના શરૂઆતના અક્ષરો સિવાયના બધા અક્ષરે મેટા અને ઊંડા કોતરેલા છે. કારણકે બીજા પતરાની છેલ્લી પંક્તિમાં માધવ શબ્દના છેલ્લા અક્ષરના લીટાએ એક બીજામાં ભળી જાય છે અને એ નામ ફાટે ગ્રાફમાં પણ ચિખું ઓળખાતું નથી.
દાનપત્ર પોતે પ્રેફેસર ભાંડારકરે જ. બો. બૅ. રો. એ. . . ૧૦ પા. ૧માં પ્રસિદ્ધ કરેલાં દ૬ ૨ જાએ આપેલાં ઈલાઓનાં દાનપત્રને અક્ષર અને શબ્દરચનામાં બહુ મળતું આવે છે. તે બન્નેની તારીખની નિકટતા–શક સં. ૪૦૦ અને ૪૧૭—ઉપરથી માની શકાય છે તે મુજબ તે બંને એક જ આદર્શની નકલે છે. ઈલાઓનાં પતરાં સંબંધની પ્ર. ભાંડારકરની બધી ટીકા ઉમેટાનાં દાનપત્રોને પણ લાગુ પડે છે.
વંશાવલીમાં કંઈ નવી હકીકત આપી નથી. તેમાં ગુર્જરવંશના પ્રખ્યાત ત્રણ રાજાઓનાં નામ આપ્યાં છે, તે –દદ્દ અથવા દ૬ ૧ લો, જયભટ તેનું ઉપનામ વીતરાગ, અને દ૬ ૨, તેનું ઉપનામ પ્રશાંતરાગ. આ નામો પ્રો. ભાંડારકરે પ્રથમથી ખરાં જ આપ્યાં હતાં. જયભટે કાવી દાનપત્રમાં વલભી સાથેની જે લડાઈ વિષે કહેલું છે તેનું સૂચન મારા મત પ્રમાણે, નિર્વતોમરતટવરàવિદતનિશાન વાહવત્તરતિકુળસમૂહ: એ વિશેષણમાં કર્યું છે. પરંતુ તે એટલું ઘાટું છે કે કાવીનાં પતરાંની મદદ સિવાય તેમાં કંઈ જાણી શકાતું નથી. અધિજગુરુનૈહવંઋવિમોન્નતિની રો: “જે ધર્મગુરૂ પ્રત્યે અધિક નેહસંપન્ન છે અને જે આ જીવલેકને પોતાના ઉજજવળ દાખલાથી શોભાયમાન કરે છે,”–આ વિશેષણનો મેં કરેલો અર્થ ખાસ કરીને આગળ પાછળ નાં વાકયે સાથે લઈએ તે એવું અનુમાન થઈ શકે છે કે, દ૬ ૨ જે ખાસ કરીને ધર્મિષ્ટ રાજા અને કઈક ધાર્મિક સુધારક હશે. પરંતુ આ દિશામાં તેણે શું કર્યું હતું તે કહેવું અશકય છે. કારણ કે તે કઈ જ્ઞાતિને હતા, એ પણ ચોકકસ જણાતું નથી. ગુર્જરનાં પતરાંના નાંદીપુરી ની ચોકકસ જગ્યા જણાયાથી આ રાજાઓની રાજધાનીના શહેરની ચોકકસ સ્થળસીમા જાણી
૧ ઈ. એ. વ. ૭ પા. ૬-૬૩ જી. બ્યુહર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org