SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ आबुगिरीना जैन लेखो नं. १ १२३ વેના સુપ-રાષ્પવૃષ્ટિ- ઇન-દાજ૫, ”- “મેદપક દેશના કલુશિતરાયરૂપી વેલીના કંદને ઉખેડનાર કુહાડી જે જે છે”—-તેને ઈલકાબ આપે છે. - પ્રહાદનનાં લડાયક પરાકામ ઉપરાંત તેની વિદ્વત્તા પણ વારંવાર વર્ણવાયેલી છે. આ પ્રશંસા ખોટી નથી. તે યુવરાજ હતા ત્યારે તેણે લેલા “પાર્થવરાત્રિમ ” નામને ‘વ્યાચાગ” આપણને મળે છે. તથા તારપરદૂતિ' માં તેના રચેલા કેટલાક લોકો પણ છે. સોમસિંહદેવ વિષે જણાવવા જેવું એ છે કે તેણે બ્રાહ્મણના કર માફ કર્યા હતા, પરમારની વંશાવલી પછી ફરીથી તેજપાલના વંશ વિષે વર્ણન આવે છે. કે૪૩-૪૬ માં તેજપાલના બંધુ વસ્તુપાવ, તેની સ્ત્રી લલિતાદેવી અને ખાસ કરીને તેઓના પુત્ર જયંતસિંહ અથવા ત્રાસિંહનું વર્ણન આવે છે, લેક ૪૭–૪ માં તેજપાલની પિતાની પ્રશંસા આપેલી છે. ત્યાર બાદ તેજ પાવન સી અનુપમદેવીના પિતાના વંશનું વર્ણન આપેલું છે. (કલેક ૫૦૫૪) આ વર્ણ ચંદ્રાવતીના રહીશ અને પ્રાગ્વાટ કુટુંબના ગાગાથી શરૂ થાય છે. (લે.૫૦ ) તેને પુત્ર ધરણિગ હતો. તે ત્રિભુવનદેવીને પરણ્યો હતો. તેઓની પુત્રી અનુપમદેવી હતી. ( લો. ૫૩-૫૪) તેજપાલ અને અનુપમદેવીને પુત્ર લાવણ્યસિંહ અથવા લુણસિંહ હતે. (. ૫૫-૫૭) લેક ૫૮માં તેજપાલના વડિલ બંધુ મલદેવના કુટુંબની ટુંકી નિંધ આપેલી છે. મલદેવ અને તેની સ્ત્રી લીલુકાને એક પુત્ર, પુર્ણસિહ હતો. તે અલણ દેવીને પરણ્ય હતો અને તેને પેથડ નામને એક પુત્ર હતા, કલેક ૫૯ અને ૬૦ માં કહ્યું છે કે, તેજપાલે અબુધ પર્વત ઉપર આ નેમિનાથનું મંદિર પિતાની સ્ત્રી અનુપમા અને પુત્ર લાવણ્યસિહના શ્રેય માટે બંધાવ્યું હતું. અને તે પછીના પાંચ લેકે (૬૧-૬૪)માં તે મંદિરની કેટલીક વિગતે આપી છે. મંદિર ધેળા આરસપહાણનું છે. તેમાં આગળ એક મોટો મડપ અને તેની બાજુએ જેને માટે બાવન મંદિરો તથા આગળ બલાનક’-પથરની બેઠક છે. તે ઉપરાંત તેમાં ચણ્ડપ, ચડપ્રસાદ, સેમ, અધરાજ, લુણંગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ, અને લાવણ્યસંહનાં હાથણીઓ ઉપલ બેસાડેલાં દશ પૂતળ છે. આ પુતળાં પાછળ ફરીથી આ દશેનાં પુતળાં દરેકની સ્ત્રીઓ સાથે ધોળા આરસપાના ખટ્ટકો ઉપર મૂક્યાં છે. વસ્તુપાલ અને તેજપાલના માનમાં લખેલા અને ખાસ કરીને તેઓનાં ધર્માદાય સ્થળની પ્રશંસા કરતા શ્લેક વડે વર્ણન પૂરું થાય છે. આના પછી તરત જ વસ્તુપાલ અને તેજપાલના પુરોહિતેના કુટુંબની વંશાવલી આવે છે. ( કો ૬૯-૭૨). તેઓ નાગેન્દ્ર ગ૭ના હતા. તેઓનાં નામ અનુક્રમે મહેન્દ્રસુરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરસુરિ, હરિભદ્રસૂરિ, વિજ્યસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ છે. લેક ૭૧ માં બતાવ્યા પ્રમાણે છેલે તેનાં કાવ્યો માટે પ્રખ્યાત હતા. આ કવિતાના નમુનાએ ગિરનારના કેટલાક લેખમાં સાચવેલા છે. લેખના છેલ્લા કે( ૭૨-૭૪ ) માં આશીર્વાદ છે, અને તેમાં કહ્યું છે કે, ચાલુ કથરાજ જેના પાદનું સેવન કરે છે એ સોમેશ્વરદેવે મંદિરની આ પ્રશસ્તિ લખી છે. લેખ કોતરનાર ચશ્વર, જે ધાંધલને પુત્ર અને કેલ્હણને પત્ર હતો, તેનું નામ તથા ઉપર કહેલા જૈન પુહિત વિજયસેનસૂરિએ મંદિર અર્પણ કર્યું તે તારીખ વગેરે ગદ્યમાં ઉમેરેલાં છે. અર્પણ કરવાને દિવસ શ્રીવિક્રમ સંવત ૧૨૮૭ ના ફાગુન કૃષ્ણપક્ષ ૩ ને રવિવાર હતો. મહિનાના નામના પહેલા બે અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે પ્રે. કાથવટેએ કહ્યું છે તેમ તેને શ્રાવણ માસ કહી શકાય એ સાચું છે, પરંતુ લેખ નં. ૨ માં તારીખ ફરી વાર આપી હોવાથી “ફાગુન પાઠ શંકા રહિત છે. પ્રેફેસર કિહોને બતાવ્યું છે તે પ્રમાણે, આ તારીખ, રવિવાર, ૩ જી માર્ચ ઇ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. ૧ ઈ. એ. • ૧ પા. ૨૧૦ ૨ લિસ્ટ ઓફ ઈતિરક્રપ્શન્સ ઓફ નેર્ધન ઈન્ડિ-પા. ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy