________________
નં૦ ૧૬૧
'
ભીમદેવ ૨ જાના રાજ્યસમયના આણુને લેખ
વિ. સં. ૧૨૬૫ વૈશાખ સુ. ૧૫ મંગળવાર
પ્રોફેસર એચ. એચ. વિલ્સને નીચે આપેલા લેખનું એક અધુરૂં ભાષાંતર એ. રી. વા. ૧૯ પા. ૨૯૯–૩૦૧ માં આપ્યું છે. હવે પ્રસિદ્ધ થયેલેા પ્રતિલેખ, પ્રો. જી. ખુલ્લુરની મદદથી ડૉ. ખજૈસે લીધેલી પ્રતિકૃતિ પ્રમાણે તૈયાર કર્યાં છે.
લેખ સંભાળપૂર્વક રાખેલેા છે. પહેલી અને બીજી પંક્તિને અંતે થાડા ઘસારા લાગેલા છે, અને લેખના છેલ્રા અક્ષરા નાશ પામ્યા છે. લિપિ ૧૨ અને ૧૩ મી સદીની સાધારણ જૈન— દેવનાગરી છે.
આ લેખ ઉજ્જૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કાતરાજ્યેા હતા. તે ચપલ અથવા ચ પક્ષીય જાતિના હતા. લેખના હેતુ, તેણે અચલગઢમાં કનખલના તીર્થમાં કરેલાં ખાંધકામાનું સ્મારક રાખવાના છે. પવિત્ર આબુ પર્વતના ઇશ્વર શિવની સ્તુતિથી તે શરૂ થાય છે, અને ઉજ્જૈનનાં વખાણુ પછી, જેમ રાજાએ પોતાનાં ઢાનામાં વંશાવલિ આપે છે તેમ, કેદારરાશિના આધ્યાત્મિક પૂર્વજોનાં નામેા આપ્યાં છે. પહેલે સાધુ તાપસ છે. તે નૂતન-મઠમાંથી આવ્યા હતા અને ચણ્ડિકાશ્રમના મહંત હતા. તેના પછી વાકલરાશિ, જ્યેષ્ઠજરાશિ, ચેાગેશ્વરરાશિ, મૌનિરાશિ અને યાગેશ્વરી–એક સાધ્વી, દુસરાશિ, અને છેવટે કેદારરાશિ આવે છે.
કનખલના દેવા માટે કેદારરાશિએ ઘણાં બાંધકામ કરાવ્યાં હશે એમ લેખ ઉપરથી જણાય છે. પહેલું, તેણે કનખલમાં કાર્ટશ્વરના મંદિરના પુનરૂદ્ધાર કરાબ્યા, બીજું, તીર્થની અંદરના અંધા ભાગ પત્થરની મેાટી લાદીએથી જડાન્યા, અને આસપાસ ઉંચી ભીંત ચણાવી હતી; ત્રીજું, અતુલ નાથનાં મંદિરના જીર્ણોદ્ધાર કર્યાં હતા; ચેાથુ; શૂલપાણુિનાં એ નવાં મંદિશ બંધાવ્યાં, અને કનખલ શંભુના મણ્ડલમાં કાળા પત્થરના સ્થંભેાની હાર ઉભી કરીને તે મંદિરની શેાભા વધારી હતી. તેની બેન માક્ષેશ્વરીએ પણ એક શિવમંદિર બંધાવ્યું હતું.
આ ખામતા પ્રાચીન વસ્તુઓના અભ્યાસીને રસપડે એવી છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ લેખનું મહત્ત્વ તેની તાજાકલમમાં છે. તેમાં કહ્યું છે કે, અણુહિલવાડના ભીમદેવ ૨ જે આબુના મહારાજાધિરાજ હતા, અને ચંદ્રાવતીના મલિક ધારાવર્ષે તેનું સર્વોપરિપણું સ્વીકાર્યું હતું, સંવત્ એટલે વિક્રમ સંવત્ ૧૨૫૫, અથવા ઈ. સ. ૧૨૦૮–૯.
૨ ઈ. એ. વા. ૨૨ પા, ૨૨૦ ડબલ્યુ કાર્ટેલીરી વિએના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org