________________
૪૦
गुजरातना ऐतिहासिक लेख ગુજરાતના બ્રાહ્માણમાં સૌથી અગત્યની નાગર જ્ઞાતિનું આ અસલ નિવાસસ્થાન છે, એ જાઘણીતું છે. આ જ્ઞાતિ ગુજરાતના રાજાઓ સાથે બહુ મોટી વગ ધરાવતી હતી એ હકીકત ૧૦ મા સૈકાથી સિદ્ધ થતી આવી છે. આ સ્થળનું પ્રાચીન મહત્ત્વ જોતાં, પ્રશસ્તિમાં કહ્યું છે તેમ છે તેની આસપાસ કુમારપાલના રાજ્ય પહેલાં કિલો ન હોય તે એ આશ્ચર્યકારક છે.
શ્લેક ૩૦ માં કર્તાનું નામ આપ્યું છે. તેમાં કહ્યું છે કે, શ્રીપાલને જયસિંહ સિદ્ધરાજે બંધુ તરીકે સ્વીકાર્યો હતો, અને તેણે “ વિવાતિ “કવિઓમાં સર્વોપરિ રાજા ને ઈલકાબ ધારણ કર્યો હતે. જયસિંહના રાજકવિ તરીકે “પ્રબંધ” માં શ્રીપાલનું ઘણી વાર નામ આવે છે. “પ્રભાવક ચરિત્ર' માં તેની મુખ્ય કૃતિ તરીકે “વૈરચનપરાજય આપી છે, અને કહ્યું છે કે, શ્રીસ્થલસિદ્ધપુરના રૂદ્રમહાલય તથા દુર્લભરાજ મેરૂ માટે તેણે પ્રશસ્તિઓ લખી હતી. પ્રબંધચિન્તામણિ” માં મેરૂતુંગ, અણહિલવાડ પાટણ પાસે જયસિંહે દાવેલા પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવની તેણે કરેલી પ્રશંસા વિષે લખ્યું છે. તેને એક કલેક સારડધરે “પદ્ધતિ” ૧૩૩, ૭ (નં. ૩૭૮૯, પીટર્સન)માં લીધેલો છે. આપણી પ્રશસ્તિમાંથી જણાય છે કે તેને રાજકવિ તરીકેને અધિકાર કુમારપાલ પાસે પણ ચાલુ રહ્યો હતો. રાજશેખરના “પ્રબંધકેશ પ્રમાણે, તેના પછી તેને પુત્ર રત્નપાલ આવ્યું હતું.
આ પ્રશસ્તિને લેખક નાગર બ્રાહ્મણ પંડિત વાલણ હતું, અને તારીખ વિ. સં. ૧૨૦૮ ના આશ્વિન સુદિ ૫ (?) ગુરૂવાર ઈ. સ. ૧૧૫૦ અને ૧૧પર વચ્ચે આવવી જોઈએ. તે કદાચ ઈ. સ. ૧૧૫૧ ના સપ્ટેબરની ૨૮ ને ગુરૂવાર હશે. - વેણી, એટલે વેણીલાલ અથવા વેણદાસના પુત્ર નાગર જોશી વિષ્ણુજીએ ઉમેરેલા બે શ્લેકે. માંના પહેલા શ્લોકમાં કિલ્લાને જીર્ણોદ્ધાર તથા કેટલાક ભાગોનું સમારકામ અમુક રાજાએ કે જેનું નામ વાંચી શકાતું નથી, તેણે કર્યા વિષેનું વર્ણન છે; તથા જે સ્થળેથી આ શિલા મળી આવેલ છે તે અર્જુનબારિકા, એટલે અર્જુન બારી પણ તેમાં આપેલી છે. બીજામાં તિથિ વિ. સ. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧, ગુરૂવાર આપેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org