________________
નં. ર૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત ૨૦૭ વૈ. વ. ૫
આ બે પતરાંઓ છે, તે દરેક અંદાજે ૧૧” પહોળાં, અને ” ઉંચાં છે. દરેકની એક બાજુ એ જ લેખ છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે. તોપણ અક્ષરે ઊંડા કતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કેતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણું પાડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને? પતરાં એક બાજુએ ડેલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણુ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી, અનેને કલ વજન ૧૦૨ તલા છે. દરેક ઉપર ૧૨ લીટીખ લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. જે. ૧૧ પા. ૧ ૦ ૮ છે આ જ રાજનાં બીજાં દાનપત્ર ડો. ટેન કે એ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેનો કાંઈ ખાસ તફાવત નથી.
મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ]ને લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હસ્તવમાહરણમાં છાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતને શિષ્ય, શનક ગોત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણ ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવમ હાલનું હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘઘાથી દક્ષિણે ૬ મૈલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧°પર ઉત્તરે તથા ૭૧° પ૭° પૂર્વ તરફ આવેલું ) વલભી આ બે સિવાય બીજા સ્થળે જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણું રીત મુજબ આંકડામાં આપેલ છે. ) ના વૈશાખ વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત–વલભી સંવત હોવાથી ઈ. સ. (૨૦૭+૩૨૦ ) પર૭ બરોબર થાય છે.
૧ એ. કે. જે. ૧૦ પા, ૧૫. ડ, બી એસ. સુખથંકર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org