________________
ધ્રુવસેન ૧ નાં પાલિતાણાનાં તામ્રપત્રો
વલભી સંવત ૨૦૬. ભાદ્ર. સુ. ૫ આ બે પતરાંઓ છે અને દરેકની એક જ બાજુ ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈધ્યના કહેવા પ્રમાણે “કેતરનારનાં ઓજારેનું કામ બને પતરાંઓની બીજી બાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાંઓ હ૭” લાંબાં અને ૬”-૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ ” છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા બીજામાં ૧૬ સારી રીતે કેરેલી પંક્તિઓ છે.
શંકરવાટકના રહીશ શાણ્ડિત્ય ગોત્રના કુમાર શર્મનું તથા જરભજિમ્ ને હસ્તવપ્રાહરણ દેશનાં મકણું, તાપસીય અને તિનિશક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કકડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંઓમાં છે. વલભીના કેટલાક બીજા લેખો ઉપરથી હસ્તવપ્રાહરણ પ્રખ્યાત છે. તે ભાવનગર સ્ટેટમાં ઘેઘાથી ૬ મેલ ઉપર આવેલું હાલનું હાથમાં છે. નીચલા વર્ણના લેકે આને ઉચ્ચાર હાથ૫ કરે છે અને તે કદાચ ખરૂં હોય. તેની વ્યુત્પત્તિ હસ્તકપ્ર ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવપ્ર અથવા હસ્તવપ્ર પરથી તે થતી જ નથી. આ રૂપે અસલના હસ્થમ્પનાં સંસ્કૃત રૂપે જેવાં જણાય છે. પણ સાચાં લાગતાં નથી. પેરિપ્લસનું અસ્ટકમ મૂળ હસ્તકપ્ર હેવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામે બીજે સ્થળે જણાયાં નથી.
વલભી, એટલે ઉતરે ર૧૧પ૨ પૂર્વ ૭૧° પ૭° ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારનું રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેન આપેલાં બે દાનર ને પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસને લખનાર કિકકક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપ-ર૬ ને મળતા (વલભી) સંવત ૨૦૬ ના ભાદ્રપદ શુદ ને દિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણ શકાયેલું વહેલામાં વહેલું દાન છે.
૧ જીઓ ઈ. એ. વ. ૭ પા. ૬૪
૨ ઈ. એ. વ. ૫
* એ. ઈ. વ. ૧૧ ૫. ૧૦૫ પ્રો. સ્ટેનકેન પા. ૨૯૬ અને એ. ઈ. વ. ૭ ૫, ૩૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org