________________
ગુજરાતના વિવિધ સ્ટેટ _લેખને પહેલે ભાગ પ્રાચીન ગુપ્ત રાજા સ્કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની રસુતિ તથા રાજ્યકર્તાઓના વખાણુના પાંચ લેક પછી સ્કન્દગુપ્ત પિતાના સુરાષ્ટ્રના દેશે અથવા કાઠિવાડના પ્રદેશો પર રાજ્ય કરવાને એક પર્ણદત્તને નીમે તેનું વર્ણન છે. પર્ણદત્તે લેખ છે તે શહેરમાં રાજ્ય કરવાને પિતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યા. તે પછી લેખને મુખ્ય આશય લખે છે તે આ પ્રમાણે છે:-- ગુપ્તાના સમયના વર્ષ ૧૩૬(ઈ. સ. ૪૫૫–૫૬)માં પ્રૌપદ ( ઓગષ્ટ-સપ્ટેબર) માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તળાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું તે) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના બે લખાણના ભાગોમાં આંકડાને બદલે શબ્દ વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલો ભાગ ફરી બાંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત્ ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭ )માં ચક્રપાલિતના હુકમથી સમરાવાયો હતે.
બીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી સ્કન્દગુપ્ત અને પર્ણદત્તના નામે ફરીથી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણ અનુ. સાર નીચેની હકીક્ત આપેલી છે -- ગુપ્તનાં સંવત ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્ર પાલિતે ભગવાન વિષ્ણુમન્દિર બન્ધાવ્યું; જેનું નામ “ચકભૂત” એટલે ચક્ર ધરનાર હતું. તે પછી બે લેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે લોકોને અર્થ સમજવા પૂરતા ભાગ રહ્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org