SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लख ભાષાન્તર ( પંક્તિ ૧ ) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી ત્રૈ ટકાના વંશના, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના (વિષ્ણુના ) ચરણના સેવક, અપરાન્ત અને ( પાતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમૃદ્ધ દેશેાને પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપે નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વે દિશામાં પ્રસરતા ઉજજવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઇન્દુ સમાન પ્રકારો છે, જેના આચાર પ્રાચીન ઉત્તમ જનાના આચાર જેવા ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સર્જાએલા હાય તેવા છે, જેણે નજીકના શત્રુએને હંફાવ્યા છે, જે અન્ય નૃપા કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણુ ખન્યા છે, જેણે અનેક મહાન વીરાની સેનાથી, દુર્ગ, નગરો અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે, અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનાનાં હૃદય અનુરંજે છે, જેની લક્ષ્મીના વિદ્વાન, આશ્રિત, વડીલ, અન્ધુજન, અને સંતાથી વ્યય થાય છે, ( અને જેણે નિજ વંશને છાજતા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યાં છે, તે મહારાજ શ્રી વ્યાઘ્રસેન કારકી આહારમાં આવેલા પુરોહિતપલ્લિકાના સર્વે નિવાસિએને શાસન કરે છે -- ( પં. ૯) તમને જાહેર થાચ્યા કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગાત્રના બ્રાહ્મણ નાગશર્મનને, આ પલ્લિકા, લુટારાઓ કે મહાન દ્રોહના ગુન્હા વાળા જતાના ( પકડવાના પ્રસંગ) સિવાય ચાટ ( અને ) ભટના પ્રવેશથી મુકત, સર્વ કર અને વેઢથી મુકત, દાન લેનાર પુરૂષના વંશોના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અગ્રહારના નિયમાનુસાર ઉપલેગ અર્થે આપી છે. ( પં. ૧૨ ) પ્રભુતા ( ઐશ્વર્ય ) અનિત્ય છે, જીવન વિયેાગથી ગુણ્ણા જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજ્જનાને દાન એ કબુલ કરીને, ઇન્ડુકિરણ સમાન ઉજ્જવળ યશના દીર્ઘ કાળ સુધી અમારા વંશના કે અન્ય નૃપાએ આ પલ્લિકાના જ્ઞાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. ( પં. ૧૫) કારણ કે ભગવાન વેવ્યાસે કહ્યું છે કેઃ- Jain Education International અનુસરાયેલું છે, અને ફકત ઉમદા કાર્ય છે, એ સત્ય સંચયની અભિલાષવાળા, ( અહીં ચાલુ શ્લાકમાંના એ શ્લોક આવે છે. ) ( પં. ૧૭) આ ( દાનની અગત્યની હૅકીકત ) તપાસી, ( આ દાન ) જેમાં હાલાહુલ દ્ભુતક હતા તે મારાથી, મહાસાંધિવિગ્રહિક કર્કથી સં. ર૪૧ કાર્તિક શુ. ૧૫ને દિને લખાયું હતું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy