________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે)ને લેખ
વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬ ) ડો. ભાઉદાજીએ જ. બો. બ્રે. . એ. . વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતો.
કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઈલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલ કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલે છે. પાછળથી તે રાજકેટના વટસન મ્યુઝીયમ એફ એન્ટિવિટિઝમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અત્યારે પણું સુરક્ષિત છે.
લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પંક્તિઓ છે. અને તે ૩ ફૂટ ૭ ઈ. પહોળો અને ૧ ફૂટ ૧૦ ઇં. ઉંચે વાંકી લંબચોરસ આકૃતિને છે. કેતરકામ છીછરું પણ સુરક્ષિત સ્થિતિમાં છે. ન, મ, ૫, બું, જેવા અક્ષરેની સરાસરી ઉંચાઈ ૧” છે.
મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ શેત્રના પ્રતાશકના પુત્ર ખર( ૨ )પત્થના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે.
પહેલાંના પ્રસિદ્ધર્તાઓ એ પં. ૬ માં પ્રતાશકને બદલે પ્રનાથક અને ખર [ 3 ] પરથને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે –
રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ ચાણન, તેને પુત્ર રાજા ક્ષત્રપ જયદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ સકસીહ (રુદ્રસિંહ), તેને પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન. એક જ લેખમાં આપેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષેત્રની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ”નો ઈલકાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડે છે. પણ ફકત ક્ષત્રપ અથવા છેલ્લા મહાક્ષત્રપ રુદ્રસેન જેના સમયમાં લેખ કેતા હતા, તેના નામ પહેલાં તે ઈલકાબ લગાડેલ નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણ એટલું તે માલુમ પડે કે તે ઈલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતો. આ ફકત સળંગ પેઢીની વંશાવળી છે. એટલે સદ્ધસેન પહેલાં રાજ્ય કરતો દામય્યદ પહેલે, અને જીવદામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૨૭ (અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ નો આ લેખ છે. આ વર્ષે શક સંવતનું છે એટલે લેખન સમય ૧૨૭ (અગર ૧૨૬) + ૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કઈ સ્થળનાં નામો નથી.
* એ. ઇં. વ. ૧૬ પા. ર૩૬ બેનરજી અને સુયંકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org