________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૭. ૧ ક્ષત્રપ રુદ્રસિંહના સમયનો ગુંદામાને લેખ
વર્ષ ૧૮૩
કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્ત (વલ્લભજી હરિદત્ત આચાર્ય ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્ડર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વેંટસને બુલ્ડર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઈન્ડીયન એન્ટિકવેરી વૅલ્યુમ ૧૦ પાને ૧૫૭ મે જોર્જ બુલ્ડરે ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતે.
મેજર વૈટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુરાણ અને પડી રહેલા કુવામાંથી આ લેખ શેાધી કાઢયા હતા. રાજકોટના વેંટસન મ્યુઝીયમ ઓફ એન્ટિકિવટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખવામાં આવ્યા હતા.
લેખમાં સારી રીતે કતરેલી પાંચ પંક્તિઓ છે. લખાણમાં લગભગ ૨ ફટ ૨ ઇંચ પહોળી તથા ૯૩ ઇંચ ઉંચી જગ્યા રોકાયેલી છે. એકંદરે લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. જો કે કઈ કઈ સ્થળે એકાદ શબ્દ ભંસાયેલ છે. , મ, ૫, તથા બું જેવા અક્ષરનું સરાસરી
લેખ સુદ્રસિહ(રુદ્રસિંહ)ના સમયને છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે –
રાજા અને મહાક્ષત્રપ ચાન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયદામન, તેને પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન, તેને પુત્ર ક્ષત્રપ રાજા સક્સીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે. પણ તે રાજવંશાવળી નથી. અને તેટલા જ માટે ચાષ્ટન અને રુદ્રસિંહ વચ્ચેના કેટલાક રાજાઓએ રાજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેઓનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાઓમાં વર્ષ ૧૦૩ ના રોહિણી નક્ષત્રમાં વૈશાખ સુદ ૫ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષ શક સંવતનું છે, એ નિશંક વાત છે. એટલે તે ઈ. સ. ૧૮૧ માં લખાએ ગણાય. રુદ્રસિંહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦૨-૩ માં રાજ્ય કરતો હિતે, પછી ૧૦૩ થી ૧૧૦ સુધી મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ ફરીથી ૧૧૦ થી ૧૧૨ સુધી ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હતા, એમ તેના સમયના સિક્કાઓ તથા ગાથાઓ ઉપરથી માનવાને કારણ મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતો હતો તે સમયને આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યને વહેલામાં વહેલે સમય કનીંગહામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦૨નું વર્ષ છે એમ માલુમ પડે છે.
સેનાપતિ બાપક, આભિરના પુત્ર સેનાપતિ સદ્રભૂતિએ રપદ્ર નામના ગામડામાં કરાવેલ કૂવાનું ખેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ણનમાં સ્થળ ફકત રસપદ્ર જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજુ સુધી એળખવામાં આવ્યું નથી.
* એ. ઈ. વો. ૧૨ પા. ૨૩૩ બેનરજી અને સુકયંકર
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org