________________
२७१
शीलादित्य ५ मानां ताम्रपत्रो જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દવજ હરી લઈને, પિતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયનો નાશ કર્યો હતો,
પિતાના ધનુષ વડે દ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નૃપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે;
આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતે.
તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણો પૂર્વના સર્વ નુપ કરતાં અધિક હતા, જેણે વિક્રમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા.
પુરૂષત્વને સાક્ષાત અવતાર
જેની પ્રજા તેની પાસે– મનુ માફક-તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણો તરફના અનુરાગથી આકર્ષાઈ સ્વેચ્છાથી આવતી;
સર્વ કળા અને જ્ઞાન સંપન્ન ઈન્દુસમાનથી ઉજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દેષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે;
જેના મહાનું યશે આકાશના મહાન્ વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ] ઘન તિમિર હણ્યું છે, પરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પિતે સદા ઉદયશાલી હતો.
નય અને વ્યાકરણની બે વિદ્યામાં પણ નિપુણ, [ નય સંબંધી ] પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રજનનું ઉદ્ભવસ્થાન અને લક્ષમીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાનું વિશ્વાસ
પન્ન કરતા; { નય વિષે સંધિ ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણઃ [ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ]
[ નય વિષે ] સ્થાન અનુસાર | જનોને ] આદેશ કરતે; [ વ્યાકરણ વિષે:= આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનેના ગુણમાં વૃદ્ધિ કરવા સાધનેને પ્રયોગ કર્યો છે—જે [ વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે;
અતિવિક્રમ સંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળો, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત,
રૂપવાન છતાં શાન્તઃ મૈત્રીમાં સ્થિર પણ દુષ્ટોને તજી દેનાર, પિતાના ઉદય(જન્મ)થી ત્રિભુવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આપો તેથી ઉદ્ભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાતઃ
પરમમાહેશ્વર શ્રી વસેન;
તેને પુત્ર, જેનું ઈન્દુ સમાન લલાટ પતાના પિતાના) ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહ્નથી અંકિત હતું
જેના કર્ણ બાળપણથી જ મૌક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અદ્ભુત દાનાં પાણીથી ભીંજાએલા હતા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર ગ્રહીને પૃથ્વીને હર્ષ જાળવતે; જે ધનુર્વેદ [ ધનુષ્ય વિદ્યા ] જેમ, સર્વ લક્ષિત વરતુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હવે જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચૂડારત્ન જેમ થતું; પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચકવર્તિ શ્રી ધરસેન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org