________________
शीलादित्य ५ मानां ताम्रपत्री
२६९
ભાષાક્તર
પહેલું પતરું સ્વસ્તિ ! શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી,
જેણે, અતુલ શૈધવાળા અને શત્રુઓને બળ વડે નમાવનાર મૈત્રકોના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યો હતે.
જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાઓને અનુરાગ મેળવ્યું હતું,
જેણે મૌલ [ પરંપરાના સૈનિકો ], ભૂત [ ભાડુતી ] અને શ્રેણિ [થાણુમાં રોકેલા માણસેના [ ત્રણ જાતના] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી.
તે ઉક્ત ભટ્ટારક માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમ માહેશ્વર ગુહસેન [ આવ્યો – જેણે માતાપિતાની આજ્ઞાનું પાલનથી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં,
જેને બાળપણથી અસિ બીજા કર સમાન હતી, અને જેનું બળ શત્રુઓના સમદ માતની ઘટાનાં કુભ ભેદીને પ્રકાશિત થયું હતું,
જેના પદનપંક્તિનાં કિરણે તેના ભુજથી નમતા શત્રુઓના મુગટનાં રત્નની પ્રજા સાથે ભળતાં;
જેણે સંર્વ સ્મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનરંજી રાજા શબ્દને સત્ય અર્થ સિદ્ધ કર્યો હતે;
જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, સ્મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હિતે;
જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હોવાથી તેને લગતાં ] પિતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખતે;
જેણે પ્રાર્થના કરતાં અધિક ઘન આપીને વિદ્વાને, બધુજ અને મિત્રનાં હૃદય જ્યાં છે, જે ગમન કરતા પંથી માફક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે – તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતા. તેને પુત્ર [ શ્રીધરસેન હતો ];
જેણે જાહ્નવીના વિસ્તૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખપંક્તિનાં કિરણોમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં;
જેની લહમી-લાખે. મિત્રોનું પાલન કરતી, જેનું રૂપ––– આભિગામિક અથવા ]રાજ્ય ગુણેને તેને [ હેના રક્ષણને] આનન્દ સહિત અવલંબવા આકર્ષતું,
જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરને ખાસ કરીને વિસ્મિત કર્યા હતા
પૂર્વેના નૃપના જૂના ધર્માદાયને રક્ષક [ પિતાની પ્રજાને ત્રાસ દેનાર દુઃખોને હણનાર; પિતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એકતા દર્શાવનાર;
પરાજ્ય કરેલા શત્રુઓ પાસેથી મેળવેલી સંપદને (લક્ષમીને ) ઉપભેળ [ કે રક્ષણ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી;
જેની નિર્મળ રાજ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી;
૧ પાછળના ક્ષત્રપ દ્ધાઓની જાતિ હોવાને સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org