________________
નં. ૮૫ શીલાદિત્ય ૩ જાનાં ખેડાનાં તામ્રપત્રો
ગુ. સ. ૩૬૫ વૈશાખ સુ. ૧ આ તામ્રપત્રોની હકીક્ત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનું માપ વિગેરે કાંઇ મળી શકતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે.
અક્ષરાન્તરમાં પણ ભૂલો ઘણી છે. પણ શરૂવાતનો વંશાવલિવાળો વિભાગ એ. ઈ. છે. ૪ પા. ૭૬ મે આપેલાં લુંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રને ઘણે અંશે મળતું છે. દાનવિભાગનું જ અક્ષરાન્તર તથા તરજુમો આપણું ઉપયોગ માટે આપવાં બસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ છે. બર્ન્સ બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પૂરવાર થએલ છે અને તે ઈ. સ. ૬૮૪ બરોબર થાય છે.
• જ, એ. એ. સે. વ. ૭ પા. ૯૬૮ ડો. એ. બન્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org