________________
નં. ૮૧ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
ગુ. સ. ૩૪૭ વૈ. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બટન ટ્યુઝીયમના કચરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુઢિ? કાશકમાં મુકામ હતો ત્યાંથી દેવામાં આવ્યું હતું. આ રાજાના વખતનું વહેલામાં વહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ. . ૪ પા. ૭૬) તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે..
તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્મણ સાબદત્તને દીકરે કૌશિક ગેત્રને, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સગ્નડ નામને હતો. તે મૂળ પુત્યશાબપુરમાંથી આવેલ હતો અને હાલ વલભી. માં રહેતા હતા.
દાનમાં જમીનના ત્રણ કટકાએ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવ થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકકપદ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમા આપવામાં આવેલ છે.
આ દાનપત્રને લેખક દિવિરપતિ કદભટને દીકરી દિવિરપતિ મદનાદિત્ય હતું અને દૂતક કુમાર ધ્રુવસેન હતે.
* આ. સ. જે. સ, રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫, , ડી. આર. ભાંડારકર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org