________________
નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
[ ગુપ્ત ] સંવત્ ૩૪૬ પૈષ સુદ 9 આ પતરાંઓ મળવાનું સ્થળ જણ્યું નથી. પરંતુ બેઓ ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સંસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડયાં રહેલાં બે પતરાંઓ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૫” x ૧૨”નું છે. બન્ને ફક્ત અંદરની બાજુએ જ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મોજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્દાને માટે વ્યાસ ૨” લંબાઈને છે.
પહેલા પતરામાં ૩૦ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૨ મી પંક્તિમાં આપી છે. અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહો છે.
વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ જાઓ ) આપેલું દાન ચાલુ રાખવાની નેંધ આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છેઃ-(૧)સેમ તે કુશહૃદમાંથી આવ્યા હતા. તે દgલિકને પુત્ર અને છાંદોગ મતને શિષ્ય અને ભારદ્વાજ ગોત્ર હતા. (૨)ભક્ટિ હરિને પત્ર વાજસનેય મતનો શિષ્ય, વત્સત્રને, સિંઘપુરનો રહીશ, ગિરિનગરમાંથી આવેલ પિટલેધર (૩) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવમાહારમાં આવેલાં ડચાણુક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાદાવર્તાનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવાઁના માપના એક ક્ષેત્રને એક ભાગ.
દાનની તારીખ. ઈ. સ. ૬૬૬ ને મળતા [ ગુપ્તવલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના પૌષ શુદ ૭ ની છે.
૧ જ. બો. બ્રા. ર. એ. સે. ન્યુ. સી. જે. ૧
પા. ૭૩ જી. વી. આચાર્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org