________________
નં. ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું
(ગુપ્ત) સંવત ૩૪૩ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાડા થર જામી ગયા હતા, પરંતુ આર્કેઓલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણા ખરા અક્ષરે ચક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧૪૧૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પક્તિઓ છે.
પતરૂં ધરસેન જ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધી બધે પ્રસ્તાવનાને ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજા દાનપત્રને મળતા આવે છે.
ડ્રહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુમના આ મઠ વિષે સંવત્ ૩૫૬ના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રોમાંથી જ આપણે જાણીએ છીએ. ડુહા-વિહાર એક વિશાળ મઠ હોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા નાના વિહાર બાંધ્યા હશે.
આ વિહાર ને આપેલાં ગામનું નામ રાખ્યું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવનક(?) સ્થલીમાં આવેલું સીહાણુક જણાય છે.
દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાનેને હંમેશ મુજબને છે.
દતકનું નામ વાંચી શકાતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજાનાં બીજાં દાનપત્રોમાં પણ લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬૫નું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખો, ૩૬૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ ), ૩૫૦ (એ. ઈ. વ. પા. ૭૬) ૩પર (ઈ. એ. જે. ૧૨ પા. ૩૦૫ ) અને ૩૬૫ (જે. એ. એસ. બી, ૭, ૯૬૬)
૧ જ. છે. બ્રા. ર. એ. સ. યુ સી, વ, ૧ ૫. ૩૭ ડી બી. દિકકર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org