________________
નં. ૭૪ ધ્રુવસેન ૩ જાનાં તામ્રપત્રો
સંવત્ ૩૩૪ માઘ સુદ ૯ (ઈ. સ. ૬૫૩-૫૪) ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રનો મૂળ લેખ ગુજ. રાતમાં કપડવણજમાં મળ્યા હતા. આ લેખ ઉપસાવેલા કાંઠાવાળાં બે તામ્રપત્રના અંદરના ભાગમાં કેતરે છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦”નું છે. જમણી બાજુની કડી ખેવાઈ ગઈ છે. ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે કુ” જાડી છે. લંબગોલાકૃતિની મુદ્રાનું માપ ૨” x ૨”નું છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાબી તરફ મુખવાળા બેઠેલા એક નદી છે. તેની નીચે હમેશને શ્રમદા લેખ છે. બન્ને પતરાંઓ તથા મુદ્રા સુરક્ષિત સ્થિતિમાં છે.
દાન આપ્યાનું સ્થળ “સિરિ–સિમ્મિણિકા'—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે–ની છાવણી છે. લેખમાં હંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાને અભ્યાસ કરતા કૌશિક ગેત્રના, ચતુર્વેદી મહિછકના રહીશ અપાના પુત્ર બ્રાહ્મણ ભભિટને શિવભાગ પુર વિષયના દક્ષિણપટ્ટમાં આવેલું પટ્ટપદ્ર નામનું ગામ આપ્યું છે.
આ દાનપત્રમાં બે વાર આવતું મહિછક નામ જરા જુદી લિપિમાં પાછળથી સુધારા તરીકે લખેલું જણાય છે. દતક માતૃ નાગ હતો, અને લેખ લખનાર સંધિવિગ્રહણિકૃત મુખ્ય મંત્રી સ્કંદભટને પુત્ર દિવિરપતિ અનહિલ' હતું. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઈ. સ. ૬૫૩-૫૪ ના માઘ શદ ૯ હતી.
* એ. ઈ. વિ. ૧ પા. ૮૫ ઈ. હુ૯શ, ૧ ઉપરનું વ. પા૫ર ૨ જુએ ઈ. એ. . ૭ ૫.૭૬ ૩ જુએ ઈ. એ. વ. ૭ પા. ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રીના છે. પણ શ્રીના | જે અક્ષરાંતરમાં છે તે પ્રમાણે નથી.
જુઓ. ઈ. એ. વ.૭ પા. ૭૬ અને વ. ૧૧ પા. ૩૧૬ ૫ જુઓ. ઈ.એ. વો.૧ પા.૧૭ અને ૪૫ અંતમાં અને વો. ૭ પ. ૭૩ ૬ પ્રો. બ્યુલહરના મત પ્રમાણે ( ઈ. એ. વ. ૧૫ પા. ૩૩૭ નોટ ૧૦ અને વ. ૧૭ પા. ૧૯૭ નેટ ૫૦) ધસેન ૩ જાનું અપ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૩૩૨ સંવત નું છે. ઘવસેન ૩ જાના રાજ્યસમયની સીમાં તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૩૦ ) તથા તેની પછીના ખરગ્રહ ૨ જા ( ૩૩૭) ની વચ્ચે નકકી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org