________________
ગુજરાતના તિલક જેલ
ભાષાન્તર
શ્રી ધરસેન, પરમ માહેશ્વર સમ્રાટુ જે પોતાના પિતામહના પાદનું સમરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કે તમને જાહેર થાઓ કે મારા માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, દિવિરપતિ સ્કંદભસુરાષ્ટ્રમાં હસ્તવકાહારમાં ધાક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ધાવક ગામના ચાર ભાગે આ પ્રમાણે અર્પણ કર્યા છે -ત્રણ ભાગ તેઓને વસ્ત્ર, અન્ન, શયન, અશન, એ. તથા ઔષધ પૂરું પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજન અને નાનનાં સાધનો જેવાં કે, ગધ, ધૂપ, રૂપ, દીપ માટે તેલ પૂરાં પાડવા માટે તથા વિહારનાં સમારકામ માટે (એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે) આપ્યા છે. તે જ ગામનો ચોથો ભાગ દિવિરપતિ સ્કંદભટે તે જ સ્થળે ખોદાવેલ તળાવના વધારે ખેદકામ ચેખાઈ અથવા સમારકામ માટે આપ્યો છે, કે જેથી તેઓને પિતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્થ સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને
પણ સાથેની વરતુઓ સહિત, તેના ઉપર જે કંઈ હોય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સેનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીઓ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત આપ્યું છે. આ દાન દે તથા બ્રાહ્મણોને પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કરે નહિં અને તે ભૂમિછિદ્રન્યાયને અનુસરીને “થાવત્ ચંદ્રદિવાકરૌ* સમુદ્ર, પૃથ્વી, નદી અને પર્વતનાં અસ્તિત્વ સુધી તેઓના ઉપભોગ માટે રહેશે. તેટલા માટે કેઈએ પણ પૂજ્ય ભિક્ષુઓને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હોવાથી બીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂં ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તે અન્યવંશના રાજાઓએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે .. . અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે.
કેતર્યું સંધિવિગ્રહના મંત્રિ દરપતિ વત્ર(?)મહિના પુત્ર હવિરપતિ રકંદભટે સ. ૩૨૬ ના માઘ વદ ૫ દિને. મહારા સ્વહુરત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org