________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાતર (પંક્તિ ૩૬ ) મહેશ્વરને પરમ ભક્ત, બાલાદિત્ય નામધારી, શ્રીમાન ધ્રુવસેન કુશળક્ષેમ હતે તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છે
(પંક્તિ ૩૭) તમને જાહેર થાઓ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એક ભકની ભૂમિ, ઉદુમ્બરગલૂરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરતા, ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગોત્રના, વાજસ નેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ અગ્નિસ્વામીને તથા જમ્બુસરથી આવેલા અયાનકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, કૌશિક ગેત્રના, વાજસનેય શાખાના, બ્રાહ્મણ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ સંગરવિને મેં આપી છે.
(પંક્તિ કર ) આ ભૂમિની સીમા-પૂર્વમાં વરાહાટક ગામની સીમ દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષમણુની પટ્ટિકા અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે.
( પાત. ૪૩)આ ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્રડ સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉપજ સહિત, દશાપરાધ સહિત, વિષ્ટિક સહિત, અને રાજપુરૂષોના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરોને અને બ્રાહ્મણને કરેલાં દાન બાદ કરી (વર્ય કરી) અને બ્રાહ્મણો માટે વીસમો ભાગ વર્ક્સ કરી, ભૂમિછિદ્ર ન્યાયને અનુસરી, શશી, સરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતાના અસ્તિત્વના સમય સુધી, ( આ બે પુરુષાના) પુત્ર, પત્રો અને તેમના વંશજોના ઉપગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે.
(પંક્તિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેક છે.
( પંક્તિ પ૧ ) આ દાનનો દતક રાજપુત્ર શ્રીમાન ખરગ્રહ છે. દાનપત્રને લખનાર સાંધિવિગ્રહાધિકારી, દિવિરપતિ વત્રભક્િને પુત્ર, દિવિરપતિ સ્કન્દભટ છે. સંવત્ ૩ર૦ ભાદ્રપદ કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org