________________
ध्रुवसेन २ जानां मांगावानां ताम्रपत्रो
१६३
ગમે તેમ હાય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રા ઉપરથી એટલું તે સાખિત થાય છે કે તેના તાખામાં માલવા અગર તેના થાડા ભાગ પણ હતા.
નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વે વરાહેાટક, દક્ષિણે એક નદી,અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના ગાવા તરીકે કે જ્યાંથી આ બે દાનેા મળ્યાં હતાં, વરાહેાકને પૂર્વમાં ભારાડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પદ્મના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વર્ણનમાં આવતી એક ન્હાની નદી પણ તે પત્ર સાથે મેાકલેલા રતલામ સ્ટેટના નકશામાં નાગવાથી અગ્નિકાણમાં નિશાનીથી બતાવેલી છે.
આ દાનપત્રનેા દૂતક રાજપુત્ર ખરગ્રહ પાછળથી ખરચર્ડ ર જા તરીકે ગાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિપતિ સ્કંદભટ ધ્રુવસેન ર્ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રામાં ફરીથી આવે છે. તેના પિતા વત્રભટ્ટિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન રજાનાં દાનામાં તથા પુત્ર અનહિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડું ૨ જા અને શીલાદ્રિચ ર જાતાં દાનપત્રામાં આવે છે. આ લેખનું વર્ષ [ ગુપ્ત- ] સંવત્ ૩૨૦( એટલે ઇ. સ. ૬૩૯-૪૦) એ, સી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગરનાં પતરાંઓનું વર્ષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org