________________
નં. ૫૫ શીલાદિત્ય ૧ લા( ઉ ધર્માદિત્ય)નાં બે તામ્રપત્રો
ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને મોટે ભાગ થયો છે.
બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જડેલી છે. તેનું માપ ૧૧૪૮ટ્ટ છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જણાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષર ચેખા અને સંભાળ પૂર્વક કતરેલા છે.
પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતું હતું, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે.
દાન આપનાર રાજાના નામનું પણ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય હવે જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૬ નાં (ત્રણ દાનપત્રો) તથા ર૪૦ નાં (બે દાનપત્રો) દાનપત્રો પણ જાહેર કર્યા છે. એથી આ સં ૨૮૭ ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિષે વધુ જાણવામાં આવતું નથી.
આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભાર દ્વાજ ગોત્રના ભદ્રગ્રહના પુત્ર, ભક્ટિ નામના બ્રાહ્મણને આ દાન આપ્યું છે,
તેને આપેલી મિલકત આ પ્રમાણે બતાવેલી છેઃ-(?) પૂજ્ય રાણી જજિકાના તાબાના કાલાસામક ગામની ઈશાન દિશામાં સહદત્તની માલીકીની ૧૦ પાદાવર્ત જમીન જે–પિપલ(પુષ્યમિત્ર ગામને એક રહીશ)ને ક્ષેત્ર તથા કર્કકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રણના ક્ષેત્રની ઉત્તરે,
ક તથા મણૂકના ક્ષેત્રની પૂર્વ, તથા ચેટ્ટિયાનક ગામની સીમા ઉપર આવેલાં કમુબી વત્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કોણમાં તે જ સીહદત્તને ૧૬ પારાવાર્તાના ક્ષેત્રફળને, મેચનિકા નામને કૂવે.
આ દાનને દ્વતક ભટ્ટ આદિત્યયશસ્ હતા, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મંત્રી વત્રભટ્ટિએ લખ્યું હતું. *
સ્થળના એળખાણ વિષે, મોં ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપુર એ હાલનું વડનગર છે. બીજે ગામ ઓળખી શકાતાં નથી.
જ, બ, બ્રા. જે. એ. સ. ન્યુ, સી, ડે. ૧ પા. ૨૮ ડી. બી. દિસ્કાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org