________________
નં. ૫૦ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો
શક સંવત્ ૪૦૦. ગુ. સં. (૨૬૫). વલભીના ધરસેન ૨ જા એ શક સંવત્ ૪૦૦માં આપેલું હોવાના આશયવાળું નીચે આપેલું દાનપત્ર છે. બ્ર. જે. એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સગત મી. ભાઉ દાજી(જ. બે, બૅ. રો. એ. સો. વ. ૮ પા. ૨૪૪ )એ લીધી હતી, અને પછી હે ( ઈ. એ . ૫ પા ૧૧૦ વ. ૭ પા, ૧૬૩ ) લીધી હતી. ૧૮૭૮માં બેઓ ગવર્નમેન્ટ તે ડૉ. બસને “ફેટઝકગ્રાફ કરવા માટે આપ્યું હતું.
મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં ૧૦ ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કોતરેલું છે. ફકત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્રા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તે પર “વાર એ લેખ છે.
દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શક-સંવત્ ૪૦૦(ઈ. સ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્ક( એટલે ભટ્ટાર્ક)ને પત્ર અને ગુહસેનનો પુત્ર ધરસેન દેવ ક છે. દાન મેળવનાર, સામવેદની છંદેગ શાખાના, તથા કૌશિક ગોત્રના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર( એટલે ઈશ્વર)ને પુત્ર ભટ્ટ ગેમદ(એટલે ગાવદ) છે. દાનની વસ્તુ, તારપ્રામરોરાત (એટલે કતારગામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નંદીઅર અથવા નંદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છેઃ પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ.
વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપગ, તેના બીજા અને મુખ્ય ભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટનું મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતોને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે.
૧ ઇ, એ.
, ૧૦ પા. ૨૮ ડે. જી. બ્યુલર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org