________________
૧૦ ૪૮
ધરસેન ૨ જાનાં બે તામ્રપા
આ છે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણાં પડેલાં છે. તે બહુ જ પાતળાં હાવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાના જમણી માજીના ભાગ ભાંગી ગયા છે.
દરેક પતરૂં લગભગ ૧૨૮”માપનું છે. તેના દરેકના ઉપર ૧૭ પંક્તિએ લખેલી છે. પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તેવા નથી.
જોકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામપણુ ગયું છે, તાપણુ ૨૧ અને રરમી પંક્તિએ ઉપરથી ચાખ્ખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીના કાઈ બૌદ્ધ મઠ હતા.
તે મને આપેલી મિલ્કતની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હિરયાણક નામના ગામડાંમાં આવી હશે એવું જણાય છે.
ઐાદ્ધ દાનાના હેતુ મુજબ, આ દાનના ઉદ્દેશ પણ ખુદ્ધોની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાના હતા.
આ દાનપત્રમાં સંખાધાએલા કેટલાક અધિકારીએ નીચે પ્રમાણે છેઃ-આયુક્તક, વિનિયુક્તક, મહુત્તર, ચાર્ટ, ભટ, તથા ધ્રુવાધિકરણિકઃ
આ દાનપત્રના અમલ કરનાર અધિકારી, કૃતક શીલાદિત્ય હતા. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષણા ઉપરથી જણાય છે કે તે, ધ્રુવસેન ૨જાનાં ઘણાં ખરાં દાનપત્રાને લેખક, દ્વિવિરપતિ સ્કન્દભટ પેાતે જ હતા.
કમનશીબે તારીખવાળા પતરાંના ભાગ ખાવાઈ ગયા છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજ્યના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં કૃતક સંવત ૨પરનાં બધાં દાનપત્રામાં ચિખિર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ૨૬૯ અને ૨૭૦નાં દાનપત્રોમાં કૃતક શીલાદિત્ય છે. બીજું ધરસેન ર જાનાં આરંભકાળનાં દાનપત્રામાં પોતે સામંતના ઈલ્કાબ કવચિત જ ધારણ કરે છે.
પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતને ઈલ્કાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કાઈ પણ ઈલ્કાબ ધારણ કરેલા જણાતા નથી. એટલે, આ દાનપત્ર સં. ૨૫૨ પછીનું પરંતુ સં. ૨૬૯ પહેલાંનું હાવા સંભવ છે.
જ. આ. પ્રા. રા. એ. સા. ન્યુ. સી. વેા. ૧ પા. ૨૧–૨૨ ડી. બી. વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org