________________
નં. ૪૨ ધરસેન ર જાનાં તામ્રપત્રો
[ગુપ્ત-] સંવત રહ૦ માઘ સુદ ૧૦ (ઈ.સ. ૧૯૦) આ સોસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઓફ વેસ્ટ ઈન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રોમાં નં ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંઓના કકડા છે. આ નંબર દેખીતી રીતે સંસાયટીના લીસ્ટને છે. આ પતરાંઓમાં સૌથી મોટું આ દાનપત્રનું બીજું પતરું છે, જેના નીચેના બે ખૂણાઓ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંના મધ્ય ભાગ છે. અને તેમાં ફક્ત હંમેશને વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. બન્ને છેડાની બાજીઓ નાશ પામી છે. બાકીના બે કકડામાંને એક, ૯૪ર”માપને, કેઈ અન્ય દાનપત્રના બીજા પતરાને ઉપર ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતું નથી. છેલ્લે કકડે, આશરે ૧૦”x૪” માપન, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંને ભાંગી ગયેલો ભાગ જણાય છે; પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતો નથી. આ છેલલા બે કકડાઓનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી
મૂકવા પડશે.
પહેલા પતરાવાળો કકડો ૫૪૫.” અને બીજે ૧૨૪૮૩ માને છે. બન્ને એક જ ખાપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિઓ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાંની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિહ્નો મળી શકે છે.
પહેલા પતરામાં આપેલો વંશાવળીને ભાગ છે. એ. ૭ પા. ૩૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત્ ૨૭૦ના દાનપત્રમાં છે તેને બરાબર મળે છે. બીજા પતરાની બીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભાનક પાસે આવેલા ઉલ્ટપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છે -(૧)બુદ્ધની મૂર્તિની પૂજા,(૨) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત (કપડાં, ખોરાક ઔષધ વિગેરે વડે ), (૩) મઠનું સમારકામ. તારીખ ઈ. સ. ૫૯૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માઘ શુદ ૧૦ આપેલી છે. દાનને દૂતક સામંત શિલાદિત્ય અને લેખક દિવિરપતિ ઋ૬ભટ છે.
જનલ છે, બ્રા. રે. એ, સે. . ૧ પા. ૬૬-૬૭ જી. વી. આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org