________________
ध्रुवसेन १ लानु पहेलुं पतरूं
ભાષાન્તર
ૐ ! સ્વસ્તિ ! વલભી( નગર )માંથી૧—મળથી શત્રુએને નમાવનાર, મૈત્રકેાનાં અતુલ બળવાન્ મહાન્ સૈન્ય સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરકત મૌલભૂત અને મિત્રની શ્રેણિના મળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિર ભટાર્ક હતા.
(લી.૩) તેના પુત્ર, જેનું શિર તેના ચરણની રકત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પદનખની પંકિતનાં કિરણેા તેને શિર નમાવતા શત્રુએના ચૂડામણિનાં રત્નાની પ્રભા સાથે ભળતાં, (અને) જેની લક્ષ્મી દીન, અનાથ અને કૃપણુ જતેનું પાલન કરતી તે પરમ માહેશ્વર ( મહેશ્વરને પૂજક ) સેનાપતિ ધરસેન (૧) હતા.
૧
( લી.૪) તેના અનુજ, જેના ચૂડામણુ તેના ચરણુને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળા થયા હતા, જે મનુ આકિ મુનિએએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતા, જે ધર્મરાજ ( યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ હતા, જેના અભિષેક અખિલ ભૂમંડળના પરમ સ્વામિથી જાતે જ થયેા હતેા, ( અને ) જેની રાજ્યશ્રીને યશ તેન! મહાન દાનથી પવિત્ર થયા હતા તે સિંહ સમાન પરમ માહેશ્વર મહારાજ દ્રાસિંહ હતા.
( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાક્રમથી શત્રુએના માતંગેની સેનાના એક વિજયી હતા, જે શરણાગતનેા આશ્રય હતા, જે શાસ્ત્રાર્થ તત્ત્વના મેધ આપતા, અને જે ૫તરૂ' સમાન મિત્રા અને પ્રણયિજનાને ઇચ્છિત ફળ આપતે તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હુવે.
(લી,૮) તેના અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી ધાવાઈ ગયાં હતાં. જેનાં અતિશુદ્ધ કૃત્યોના જળથી કલિયુગનાં સર્વ લંક ધોવાઈ ગયાં હતા, અને જેણે ખળથી શત્રુપક્ષના મહિમા હરી લીધેા હતેા પાઢિન્ય ભકત શ્રી મહુારાજ ધરપત્ત હતા.
( લી. ૧૦ ) તેના પુત્ર, જેણે તેના ચરણુની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી; જેને બાળપણુથી તરવાર બીજા કર સમાન હતી, જેનું ખળ નિજ શત્રુમના સમદ માતંગાનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુ એના ચૂડામણિની પ્રજા સાથે ભળતી, જેણે સકળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું ચાગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુજી રાજશબ્દ સત્ય અને ઉચિત કથા હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંસીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય ), સાગર, દેવાના ગુરૂ ( બૃહસ્પતિ ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતેા, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હાવાથી નિજ સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખતા, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ પ આનન્દ હતા તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહુસેન હતા.
( લી. ૧૫ ) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદ્મનખની રશ્મિના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી ધોવાઈ ગયાં છેઃ—જેની સપદ ( લક્ષ્મી) લક્ષ અનુરાગીઓનું પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણાએ જાણે તેના રૂપના અભિલાષથી (અને) મેહથી, અવલખન ઠંયુ છે, જે સર્વ ધનુર્ધરને નૈસર્ગિક ખળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડે છે, જે પૂર્વેના નૃપેએ કરેલાં દાન રહ્યુ છે, જે નિજ પ્રાતે પીડા
૧ આના સંબંધ પક્તિ ૧૯માં મહારાન્ત ધરસેન કુશળ હોઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે લશ્કરી હેદ્દા છે. ૩ બધી અભિલાષા પૂરનાર ઇન્દ્રના સ્વર્ગમાંનું ઝાડ ૪ અથવા કદાચ ખાળપણથી બન્ને હાથે તલવાર ફેરવી રાકતા એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર
३४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org