________________
નં૦ કર ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો
ગુ. સંવત ૨પર ( ઈ. સ. પ૭૧-૭૨) વૈશાખ વદ ૧૫ આ લેખ તરફ પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫. ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું મુંબઈ ઇલાકામાં કાઠિવાડના સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળિથામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્રો ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાં જૂનાગઢના દરબારના હવાલામાં છે.
દરેક લગભગ ૧૧કૃxહરૂ” ના માપનાં એવાં બે પતરાઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલા છે. અને આ લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પણ અક્ષરો ઉંડા હાઈ પાછળના ભાગમાં ચોખા દેખી શકાય છે. કેતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરોની અંદર કેતરનારનાં ઓજારેનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જેડેલાં છે, મારા જોવામાં આવ્યાં ત્યારે બન્ને કડીઓ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે ” જાડી અને ૧” વ્યાસવાળી ગોળ છે. બીજી તેટલી જ જાડી પણ વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લબગોળ છે. આના છેડા ઉપરથી ૧રૂઝર” વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલો જમણી બાજુ મહાવાળો નંદી છે જે વલભી મુદ્રાઓમાં સામાન્ય રીતે કોતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીએ કરી તેની નીચે શ્રીભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પીંડ ૧ સ છે. બે કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પોડ, 13 સ છે. અક્ષરનું માપ ” અને ” વરચે છે.
વલભી વશના મહારાજી ધરસેન ૨ જાને આ લેખ છે. તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાઓથી આપેલ છે. તે સંવત્ ૨૫૨(ઈ.સ. ૫૭ - ૨ ના વૈશાખ (એપ્રીલ-મે) વદિ ૧૫ છે. આ લેખ કઈ પશુ પંથને નથી. તેને હેતુ ફકત મહારાજી ધરસેન ૨ જાએ બ્રાહ્મણને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ઓભિગ્રામ, તથા વજગ્રામ નામનાં ગામડાંઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાના છે.
૧ કો. ઈ. ઈ. વ. ૩ પા. ૧૬૪–૧૬૫ ફલીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તરમાંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને અને મારિઆ હાટીના પણ કહે છે.
३३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org