________________
નં. ૪૦
ઘરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્રો
ગુખ સંવત્ ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ બે પતરાંઓ ર૭ વર્ષ પહેલાં કાઠિઆવાડના હાલાર પ્રાંતમાં રાજકોટથી અગ્નિકેણમાં ૫ માઇલ ઉપર લાડવા નામના મેટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજંકટના વાટસન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે.
આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે; અને તે મુદ્રા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણુમાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણાંઓમાંથી પસાર કરેલી કડી ખવાઈ ગઈ છે.
પતરાઓ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦ર્”x૪” છે. લખાણના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચોખા કોતરેલા હાઈ દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે ૧” પહોળો અને ” ઉચે છે. પતરાંઓ પૂરાં : જાડાં હોવાથી અક્ષરો ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી.
આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન(૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ બ(હુલ) ૧૫ સંવત ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રસ્તાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છેડી દિધેલો “સામંત ' ને ઈદકાબ ધ્રુવસેન ૧ લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપઠું લખેલું છે.
દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિઘાથી, કૌશવસ ગોત્રના રૂદ્રોશને રૂદ્રગેપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું ગોત્ર વિચિત્ર છે. આ ત્રવાળો બ્રાહ્મણ મારા જાણવામાં નથી.
દાનમાં આપેલી વસ્તુ, આંબરેણુ સ્થલી( પ્રદેશ)(પ્રાપીય)માં આવેલું ગામ ઈપિકાનક ૩૬, ૩પરિશર, વિગેરે સાધારણ હક્કો સહિત છે.
દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ યજ્ઞ કરાવવાનું છે.
દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીઓમાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કોઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેને અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકેની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એ હોય. દશાપરાધિકનો અર્થ ઘણું કરીને ગામની
* એ ભાઈ. વ. ૪ પા. ૩૩-૩૭ ડી. બી, દિસ્કલકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org